Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો ધરાવતા વેપારીઓએ મામલતદારને આવેદન આપી છુટછાટની માંગ કરી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં તબીબ દંપતિનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તબીબનાં દવાખાના અને રહેણાંકની આજુબાજુનો વિસ્તાર કોરેન્ટાઇન વિસ્તાર તરીકે સીલ કરાયો હતો. આ કોરેન્ટાઇન વિસ્તારમાં દુકાનો ધરાવતા કેટલાક વેપારીઓએ આજે ઝઘડીયા મામલતદારને આવેદન આપીને કોરેન્ટાઇન વિસ્તારને છુટછાટ આપવા માંગ કરી હતી. આવેદનમાં આ લોકોએ જણાવ્યુ હતું કે કોરોન‍ા પોઝિટિવ તબીબનાં દવાખાનાથી તેમની જગ્યા દુર હોવાથી બજારને છુટછાટ મળવી જોઇએ. આમ રાજપારડીમાં કોરોના સંદર્ભે જાહેર કરાયેલા કન્ટેન્ટમેન્ટ વિસ્તારની હદ બાબતે નવો વળાંક આવ્યો છે.આવેદન આપનાર વેપારીઓએ પોતાની રજુઆતમાં વધુમાં જણાવ્યુ છેકે છ સાત દિવસોથી દુકાનો બંધ હોવાથી તેમણે મોટું નુકશાન વેઠવું પડ્યુ છે.તેથી કોરોના પોઝિટિવ ડોક્ટરનાં દવાખાનાથી દુર રહેલા બજાર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી છુટછાટ અપાય તેવી માંગ કરતાં હાલ તો રાજપારડીનાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારની હદ બાબતે નવો વળાંક આવેલો જણાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

દિલીપ કુમારને અલવિદા: આવો હતો ટ્રેજેડી કિંગનો શાનદાર ફિલ્મી સફર.

ProudOfGujarat

ભરૂચ : ઝંઘાર ગામનાં આગેવાનો અને ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ દ્વારા સયુંકતપણે કોરોના સંક્રમણ અટકાવવા માટે એક કેમ્પનું આયોજન ઝંઘાર ગામ ખાતે શનિવારનાં રોજ રાખવામાં આવેલ છે.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય સ્તરનાં આમ પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સબજેલ ખાતે સંદીપસિંહ માંગરોલાની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!