Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ સિવિલની કેથલેબમાં પ્રથમ એન્જીયોગ્રાફી કરાઈ, ૯૦ ટકા બ્લોકેજ ધરાવતા દર્દીની થઈ સારવાર

Share

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલ (સિવિલ) ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત કેથલેબ વિભાગ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે કાર્યરત કેથલેબ કે જે ગુજરાતની પ્રથમ કેથલેબ છે, અહીં તા. ૧૧ સપ્ટેમ્બરે રાજકોટના ૪૩ વર્ષીય સુરેશભાઈ નાકીયાને હૃદયની તકલીફ થતા દાખલ કરવામાં આવ્યા હતાં. કાર્ડિયોલોજિસ્ટ ડો. મનદીપ ટીલાળા અને તેમની ટીમ દ્વારા આજરોજ સુરેશભાઈની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જીયોગ્રાફી કરવામાં આવતા દર્દીને હ્રદયની નસમાં ૯૦ ટકા બ્લોકેજ જોવા મળેલ હોઈ તેઓનું આવતી કાલે એન્જીયોપ્લાસ્ટી શસ્ત્રક્રિયા કરવામાં આવશે તેમ ડૉ. ટીલાળાએ જણાવ્યું છે.

સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એન્જીયોગ્રાફીની કિંમત રૂ. ૧૦ થી ૧૫ હજાર જેટલી થાય છે, જયારે એન્જીયોપ્લાસ્ટી સર્જરી અને સારવાર આશરે રૂ. બે લાખ જેટલી થતી હોય છે. અહીં સિવિલ ખાતે દર્દીને વિનામૂલ્યે સારવાર મળી રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર રાજકોટ સેન્ટરમાં આવે છે, તદઉપરાંત રાષ્ટ્રીય રાજ્ય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી, રાજકોટ, જુનાગઢ, અમરેલી, મોરબી અને જામનગરનાં રાજકોટથી નજીક થતા વિસ્તારના દર્દીઓને રાજ્ય સરકારના પ્રયત્નોથી હ્રદયરોગની વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે રિફર થવાની જરૂર નહીં રહે. પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે કાર્યરત કેથલેબ દ્વારા તેમની સારવાર અત્રેની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે તેમ ડો. આર.એસ. ત્રિવેદીએ રાજકોટ સિવિલ ખાતે ઉપલબ્ધ કેથલેબ સુવિધા અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ऋतिक रोशन के काम में गुणवत्ता को प्राथमिकता देने का दर्शन उन्हें दिलीप कुमार, राज कपूर के साथ सूची में ले जाता हैं!

ProudOfGujarat

વ્યારા થી અંકલેશ્વર તરફ જતી ગાય ભરેલી ગાડી ને ગૌરક્ષકોએ ઝડપી પાડી સુરતના પાંજરાપુર રવાના કરવામાં આવી હતી

ProudOfGujarat

ભરુચ જિલ્લા પંચાયત ખાતેથી મોબાઇલ આરોગ્ય સેવા વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!