Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ : આજથી શ્રાવણ માસની શરૂઆત થતાં શિવ મંદિરમાં ભક્તો ઉમટ્યા

Share

આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે શિવ ભક્તોમાં આનંદનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટર શિવમય બની ગયું છે. ભક્તો ભોળાનાથના દર્શન કરવા મંદિરે લાઇન લગાવી રાહ જોઈ રહ્યા છે. કેટલાક લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા શ્રાવણ માસમાં ભગવાન શિવજીને પ્રસન્ન કરવા શિવ ભક્તિમાં લીન થઈ જશે. શ્રાવણ માસ આવતાં જ રાજકોટનું સૌથી જૂનું શિવજીનું મંદિર એટલે કે રામનાથ મહાદેવના મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા. ખૂબ જ મોટી સંખ્યામાં રામનાથ મંદિરે મહાદેવની પૂજા અર્ચના કરવા ભક્તો પહોંચ્યા હતા. રાજકોટના તમમાં શિવમંદિરમાં આજે ભક્તોની ભીડ જામી છે અને હવે આજથી આખો શ્રાવણ માસ શિવજીના મંદિરમાં ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળશે. ઘણા ભક્તો તો આખો શ્રાવણ માસ ફરાળ કરી શિવજીને પ્રસન્ન કરશે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા શિવજીની ભકિતમાં લીન થશે. આજથી રાજકોટના રામનાથ મહાદેવનાં મંદિર સહિત ઈશ્વરીયા મહાદેવ, જાગનાથ મંદિર, ઓમકારેશ્વર મહાદેવનું મંદિર સહિતના અનેક મહાદેવનાં મંદિરમાં ભક્તો ઉમટશે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના બાર એશોસીએશનની ચૂંટણીમાં બિનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યમાં નારુકોટ પાસેના જંગલ વિસ્તારમા આગ લાગી.

ProudOfGujarat

જંબુસર : અણખી ગામના એરટેલ ટાવર કેબિનમાં રાખેલ 1,24,000/- બેટરીઓની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!