Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં લેન્ડ ગ્રેબીન્ગનાં ૪૧ કેસ : ૮ કેસોમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો લીધો નિર્ણય

Share

લેન્ડ ગ્રેબીન્ગ કમિટી સમક્ષ મુકાયેલા ૪૧ કેસો પૈકી ૮ કેસમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય કરાયો જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા ૪૧ કેસો પૈકી ૮ કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં શહેર વિસ્તારના ૪ અને ગ્રામ્ય વિસ્તારના ૪ કેસનો સમાવેશ થાય છે ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ ૪૧ કેસો પૈકી ૨૭ કેસો દફતરે કરવામાં આવ્યા હતા તથા ૬ કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આ બેઠકમા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર, પ્રાંત અધિકારી શ્રી સંદિપ વર્મા, તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના કંપાઉન્ડ માં આવેલ GEB ના ટ્રાન્સફર્મર માં કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોર નું મોત થતા ફાયર ના જવાનોએ મોર ને બહાર મૃત તેને બહાર કાઢ્યો હતો…

ProudOfGujarat

રાજ્યમાં કાયદો વ્યવસ્થા, શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ – ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા

ProudOfGujarat

મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!