Proud of Gujarat
dharm-bhakti

પાટણ શહેર માં પાઠક સાહેબ ની ગુરુગાદી ખાતેથી શોભાયાત્રા નીકળી

Share

ગોપાળ ભાઇ પાઠક સાહેબ શોભા યાત્રા માં શણગારેલ ખુલ્લી જીપ માં બિરાજમાન થયા હતા

પાટણ શહેર માં પાઠક સાહેબ ની ગુરુગાદી ખાતે થી શોભા યાત્રા નીકળી

Advertisement

પાટણ સ્થિત કરંડિયા વીર દાદા ના મંદિર ખાતે આજે નવચંડી યજ્ઞ નું ધર્મમય માહોલ માં આયોજન કરવા માં આવ્યું હતું.જે નિમિત્તે શહેર ના ગોળ શેરી માં આવેલ પુજય પાઠક સાહેબ ની ગુરુગાદી ખાતે થી શોભા યાત્રા નીકળી હતી. જેમાં ગોપાળ ભાઇ પાઠક સાહેબ શોભા યાત્રા માં શણગારેલ ખુલ્લી જીપ માં બિરાજમાન થયા હતા .

બેન્ડવાજા ની સુરીલી સરગમ સાથે ગુરુગાદી ખાતે થી પ્રસ્થાન પામેલી શોભા યાત્રા શહેર ના જુદા જુદા માર્ગો પર થઇ કરંડિયા વીર દાદા ના મંદિર ખાતે પહોંચી હતી. ત્યારે શોભા યાત્રા જે તે માર્ગો પરથી પસાર થતાં સેવકો અને ભકતો એ પુજય ગોપાળ ભાઇ પાઠક સાહેબ ને ફુલહાર પહેરાવી તેમના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ મંદિર પરિસર ખાતે નવચંડી હવન યોજાયો હતો. જેના દર્શન નો લાભ લઈ ભક્તો એ ધનાયત અનુભવી હતી .


Share

Related posts

આજથી શ્રાવણ માસનો પ્રારંભ: કોરોના ગાઈડલાઈન્સ સાથે ભક્તોએ દર્શન કરવા પડશે

ProudOfGujarat

Horoscope Today: જાણો કેવો રહેશે સપ્તાહનો છેલ્લો દિવસ, વાંચો 11 ડિસેમ્બરનું રાશિફળ

ProudOfGujarat

શિવના આ 12 જ્યોતિર્લિંગના દર્શનથી તમામ પાપોનો નાશ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!