Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ,૫૩૫ ગામના તળાવો ઉંડા કરાશે

Share

વિજપસિંહ સોલંકી,ગોધરા

પંચમહાલ જીલ્લાના સાત તાલુકા ના ૫૩૫ ગામના તળાવો ઉંડા કરવાની સુજલામ સુફલામ જળ અભિયાન ૧ મે થી ૩૧ મે-૨૦૧૮ દરમ્યના હાથ ધરવામાં આવશે. જેના ભાગ‚ કાલોલ તાલુકાના વેજલપુર મોટા તળાવમાં પાણી સંગ્રહ  ક્ષમતા વધારો માટે કામગીરી પ્રારંભ ૧મેના રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં  હાથ ધરાશે.પંચમહાલ જીલ્લામાં આજથી૩૧ મે-૨૦૧૮ દરમ્યાન સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાંઆવશે. આ અભિયાન દરમ્યાન જીલ્લાના સાત તાલુકાના ૫૩૫ જેટલા ગામ તળાવોનું સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, ધાર્મિક સંસ્થાઓ તેમજ મનરેગા યોજના હેઠળ ઉંડા કરવામાં આવશે. જીલ્લામાં જળ અભિયાન હેઠળ ગામ તળાવોને ઉંડા કરવા  તેમજ ચેકડેમ રીસીલ્ટીંની વિવિધ કામો સંપૂર્ણ પારદર્શી અને અસરકારક રીતે થાય તે જોવા માટે અમલીકરણ અધિકારીઓને ભારપૂર્વક જળ અભિયાન હેઠળ હાથ ધરનાર તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે આગોતરુ આયોજન ધડી કાઢવા આવ્યું છે. અને જીલ્લામાં અત્યાર સુધી ઉંડા ન થયા હોય તેવા તળાવો ઉંડા કરવાનું સૂચન કર્યું હતું.

Advertisement

Share

Related posts

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડબેંક રાજપીપલાને 160 યુનિટ રક્ત મળ્યું.

ProudOfGujarat

ભરૂચ : ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ અને ડો. બાબા સાહેબ ઉથાન સંસ્થા દ્વારા જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ગોધરા : ભામૈયા ગામના ગ્રામજનો દ્વારા વિજપુરવઠો ખોરવાતા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!