Proud of Gujarat
FeaturedGujaratINDIA

સલામપુરા પ્રાથમિકશાળાના શિક્ષક નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો.

Share

શહેરા તાલુકાની કુમાર શાળા ક્લસ્ટર માં આવેલી સલામપુરા પ્રાથમિક શાળામાં 20 વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મદદનીશ શિક્ષક જયંતિભાઈ રણછોડભાઈ પટેલ નો વિદાય સમારંભ કોવિદ – 19 ની ગાઈડલાઈને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શહેરા વિનોદભાઈ પટેલ, બીટ કેળવણી નિરિક્ષક નાંદરવા સરદારસિંહ વણઝારા, સી.આર.સી.કો.ઓર્ડીનેટર જયેશભાઈ પરમાર, પગાર કેન્દ્ર આચાર્ય અહેમદ પઠાણ, પરીવાર અને જયંતિભાઈનો પરીવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ પરમારે પ્રાસંગીક ઉદબોધનમાં જ્યંતીભાઈની બે દસકાની શૈક્ષણિક કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેઓનું શેષ જીવન તંદુરસ્ત, નિરોગી રહી સમાજ ઉસ્થાન અને સમાજ સેવામાં સમર્પિત રહે તેવી સમગ્ર શિક્ષા અભિયાન શહેરા તરફથી શુભકામનાઓ પાઠવી હતી. શહેરા શિક્ષણ પરીવાર અને શાળા પરિવારે તેમને શાલ ઓઢાળી ગિફ્ટ આપી બુકેથી સન્માનિત કર્યા હતા. સલામપુરા શાળા પરીવારને જ્યંતીભાઈને ખોટ કાયમ રહેશે.

રાજુ સોલંકી:- પંચમહાલ

Advertisement

Share

Related posts

માંગરોળ : ઝંખવાવ મોસાલી અને કોસંબા તડકેશ્વર રાજ્ય ધોરીમાર્ગ અતિશય બિસ્માર હોવાથી કોંગ્રેસનાં આગેવાનોએ મામલતદારને રજૂઆત કરી.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂર ઓસર્યાનો અનોખો વિક્રમ જાણો કયો ?

ProudOfGujarat

ભરૂચ નગરમાં તસ્કરોનો કકળાટ વધ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!