Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસનો ઉજવણી કાર્યક્રમ યોજાશે.

Share

૯ મી ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં મોરવા (હ) અને ઘોઘંબા ખાતે ઉજવણી કાર્યક્રમો યોજાશે. વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી મોરવા(હ) ખાતે યોજાનાર કાર્યક્રમના અધ્યક્ષપદે રહેશે. જ્યારે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ચેરમેનશ્રી રાજેશભાઈ પાઠક અને પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે ઉજવણી સમારોહ યોજાશે. આ ઉપરાંત, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, છોટાઉદેપુર સાંસદસુશ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્યસર્વશ્રી જેઠાભાઈ આહિર, શ્રી સી.કે.રાઉલજી, સુશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને આદિજાતિના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયત ધારાધોરણોનું પાલન થાય તે પ્રકારે સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પત્નિના આડાસબંધોની શંકાએ પુત્રની હત્યા કર્યા બાદ પિતાએ કુવામાં ઝંપલાવીને કરી આત્મહત્યા

ProudOfGujarat

રાજય કક્ષાના વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં સાગબારાના પાટ ગામની વે મેટ શાળાની કૃતિ પસંદ થતા આનંદ

ProudOfGujarat

ભરૂચથી અંકલેશ્વર જવાનાં માર્ગ પર છાપરા પાટિયા પાસે રીક્ષાનું ટાયર નીકળી જતા રીક્ષા પલટી જતા એક વ્યક્તિને ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!