Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં લોક ડાઉન દરમિયાન સહાયથી વંચિત રહી ગયેલા બાંધકામ ક્ષેત્રનાં નોંધણી કરાયેલ શ્રમિકોએ અરજી કરવી.

Share

નોવેલ કોરોના વાયરસ સંક્રમણનાં કારણે લાગુ પાડવામાં આવેલ લોક ડાઉન દરમિયાન સરકારશ્રી દ્વારા નોંધણી કરાયેલ બાંધકામ શ્રમિકોને રૂ.૧૦૦૦/-ની આર્થિક સહાય આપવામાં આવી હતી. નોંધણી કરાવેલા જે શ્રમિકોને આ સહાય મળેલ ન હોય તેઓ પોતાની વિગતો બોર્ડને આપી લાભ મેળવી શકે છે. આ માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોર્ટલ https://misbocwwb.gujarat.gov.in પર રજિસ્ટર ફોર્મ વિકલ્પ પર ક્લીક કરી નોંધાયેલ બાંધકામ શ્રમયોગી પોતાની રેડ બુક (ઓળખ કાર્ડ) નંબરના આધારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી ડેટા ઓનલાઈન સબમિટ કરી શકશે. ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખ ૧૭ જુલાઈ, ૨૦૨૦ છે, જે બાબતે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવેલ તમામ બાંધકામ શ્રમિકોએ નોંધ લેવી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર બ્રેકિંગ – ચૌટા બજાર વિસ્તારમાં કાચા મકાનનો સ્લેપ પડી જવાના બનાવમાં એક મહિલાનું મોત…

ProudOfGujarat

રાજપીપલા નજીકના રસેલા પાસેની હોટલ પાસે ટ્રકમાંથી થયેલી 25 લાખની લૂંટના બે આરોપી ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વધુ ત્રણ લોકો ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આવતા જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!