Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસો મળી આવતા વિસ્તારોમાં અવર-જવર પર નિયંત્રણો મૂકી મેડિકલ સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી.

Share

પંચમહાલ જિલ્લામાં નવા કેસો મળી આવવાના પગલે હાલોલ તાલુકાના પંચવટીનગર, ઈન્દિરાનગર તેમજ કાલોલ તાલુકાના નવાપુરા વિસ્તારોને નવા કન્ટેઈન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ 1897ની કલમ-2 અન્વયે મળેલ અધિકારની રૂએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-30 તથા કલમ-34 હેઠળ નગરપાલિકા હાલોલના પંચવટીનગરમાં આવેલ 22 મકાનોની 81 વ્યક્તિઓની વસ્તી તેમજ ઈન્દિરાનગરમાં આવેલ 7 મકાનોની કુલ 36 ની વસ્તી તેમજ કાલોલ તાલુકાનાં નવાપુરા વિસ્તારમાં આવેલ 24 મકાનોની કુલ 78 વ્યક્તિઓની વસ્તી ધરાવતા વિસ્તારને કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાંથી કોરોના પોઝિટીવ વ્યક્તિઓ મળી આવતા આ વાયરસનાં ઝડપી સંક્રમણને ધ્યાનમાં રાખીને જે-તે વિસ્તારના અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે હેતુસર આ વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનાં કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 થી 58 ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટની ફરિયાદ અંગે એક જ દિવસમાં ૫ અલગ-અલગ કેસમાં આરોપીને તમામ કેસોમાં ૧-૧ વર્ષની સજા તથા ચેકની રકમ કરતા બમણી રકમનો કુલ રૂપિયા ૩,૪૦,૦૦૦ ના વળતર ચૂકવવાનું નામદાર અદાલતનો હુકમ…

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ખાતે દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ બંધ રખાશે.

ProudOfGujarat

ભરૂચના રંગોલી કોમ્પ્લેક્ષ ખાતે આવેલ ખાનગી હોટલની જગ્યાએ આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!