Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે કોરોના ટેલી કાઉન્સલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

Share

કોરોના મહામારી સંદર્ભ ઊભી થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ એક નવતર અભિનવ પ્રયોગના ભાગરૂપે કોરોનાના કારણે સ્ટ્રેસ અને અસુરક્ષિતતા અનુભવતા ઉમરલાયક વડીલોને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે ગોધરા ખાતે કોરોના ટેલી કાઉન્સલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનાં એન.એસ.એસ વિભાગ દ્વારા કોમર્સ કોલેજ ગોધરા ખાતે કોરોના અવેરનેસ બાબતે ટેલી કાઉન્સલિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં 2 દિવસમાં 596 વડીલોને કોરોના બાબતે માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરાની સુચના મુજબ તથા યુનિવર્સિટીના કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ શરુ કરાયેલા આ સેન્ટરમાં ડૉ.ભોલંદા સાહેબ તથા એન.એસ.એસ .કોર્ડિનેટર ડૉ.નરસિંહભાઈ પટેલ સતત માર્ગદર્શન આપી રહ્યા છે.આ સેન્ટરમાં હાલ કોમર્સ કોલેજ ગોધરા એન.એસ.એસ.ના 5 સ્વયંસેવક સેવા આપી રહ્યા છે.
on
પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોળમાં આરોગ્ય કર્મચારીઓનું વાર્ષિક સંમેલન યોજાયું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીનાં અવિરાજસિંહવાળાએ અવનવા પુસ્તકની રચના કરી.

ProudOfGujarat

ઇફકો ની ચૂંટણીમાં પક્ષ વિરોધી રાદડિયા નો વિજય થતા સહકારી ક્ષેત્રમાં રાજકારણ ઘુસાડતા સી આર પાટીલ પર આકરા પ્રહારો કરતા કોંગ્રેસી નેતા સંદીપ માંગરોલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!