Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા મહામારીમાં વન્યવિસ્તારનાં લોકોને આર્થિક સહયોગની માંગ કરી.

Share

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી અને લોકડાઉનની વિપરીત પરિસ્થિતિનાં કારણે ઊંડાણના ગ્રામ્ય અને જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજની હાલત અત્યંત દયનીય અને કફોડી બની છે. પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાંથી રોજગાર માટે અનેક આદિવાસી સમાજના લોકો રાજય બહાર કે જિલ્લાઓમાં ગયા છે જેમાંથી કેટલાક પરત આવ્યા છે તો કેટલાક રાજય બહાર અથવા અન્ય જિલ્લાઓમાં સેલ્ટર સેન્ટરમાં રોકયેલા છે ત્યારે આવી વિપરીત પરિસ્થિતિમાં જંગલમાં નિવાસ કરતા આદિવાસી લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કથળી છે. હાલની મહામારીનાં સમયે છૂટાછવાયા ઊંડાણના વિસ્તારમાં યોગ્ય સહાય અને મદદ મળતી નથી જેને કારણે આદિવાસી સમાજ ખૂબ જ દુ:ખી છે તો આવા સંજોગોમાં વન્ય ઉપજ દ્વારા વળતર મળે અને આર્થિક પરિસ્થિતિ સુધરે તે હેતુસર હાલમાં શરૂ થયેલ ટીમરૂ પાન અને અન્ય વન્ય પેદાશોની ખરીદ કરવા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા તાત્કાલિક વન્ય વિસ્તારમાં આવેલ કેન્દ્રો ઉપર કામગીરીની શરૂઆત કરે તે માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીએ માંગ કરી છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરાયું

ProudOfGujarat

નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળામાં ડેન્ગ્યુનો વકરતો વાવર શહેરમાં ડેન્ગ્યુના 25 પોઝિટીવ કેસ : પાલિકાના ફોગીંગ માટે ફક્ત એકજ મશીન કાર્યરત અન્ય બંધ હાલતમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!