Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં જિલ્લાનાં મુખ્ય ન્યાયાધીશશ્રી સહિત તમામ ન્યાયાધીશો દ્વારા જરૂરતમંદોને રાશન કીટનું વિતરણ કરાયું.

Share

નોવેલ કોરોના વાયરસ સંક્રમણને ફેલાતુ અટકાવવા પંચમહાલ જિલ્લા સહિત દેશભરમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. આ દરમિયાન ગરીબો, શ્રમિકો, રોજનું કમાઈને ખાતા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે જિલ્લાના ન્યાયાધીશશ્રીઓ આગળ આવ્યા હતા. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશશ્રી સહિતના જિલ્લાના તમામ ન્યાયાધીશો દ્વારા ફાળો એકત્રિત કરી જરૂરતમંદોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં ઘઉં, ચોખા, તેલ, દાળ, ખાંડ સહિતની રાશન સામગ્રી સામેલ હતી. ગોધરા અને કાલોલ ખાતે આવી કુલ 200 કીટનું વિતરણ ન્યાયાધીશોશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગોધરાના પોપટપુરા અને સારંગપુરા ગામ ખાતે વિધવા, અશક્ત કે ગરીબો સહિતના જરૂરિયાતમંદોને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનું ધ્યાન રાખીને આ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોધરાના પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરની શંભુ ડેરી નજીક મનીષાનંદ સોસાયટીમાં રહેતાં શાકભાજી વેચતાં વેપારીનાં ઘરમાં ભર બપોરે ચોરી-નજીકમાં જ પોલીસનો પહેરો હોવા છતાં ચોરી ?

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરાઇ.

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!