Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના વાઇરસનાં સંક્રમણને નાથવા ગોધરા નગરપાલિકાની ધનિષ્ટ કામગીરી.

Share

પંચમહાલ જિલ્લા ગોધરા નગરપાલિકા દ્વારા કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે ધનિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના મુજબ ગોધરામાં આવેલ વિવિધ સોસાયટીઓ, ગલી મહોલ્લામાં ફોગીંગ અને સેનેટાઈઝરના છંટકાવથી વિસ્તારોને સેનેટાઈઝ કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા. ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મેલેરિયા વિભાગના સેનેટરી ઈન્સ્પેકટર અશોકભાઈ સોલંકી અને કિરણભાઈ ચૌહાણને ગોધરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને દવાઓ છંટકાવ કરવા માટે સુચના આપી હતી જેથી મેલેરિયા વિભાગની ટીમે ગોધરામાં આવેલ એસઆરપી પાછળ મીનાક્ષી સોસાયટી અને બજારાં પાર્ટી પ્લોટ તથા ડોડપા ફળિયા વિસ્તારમાં ફોગીંગ કરી દવાઓનાં છંટકાવથી સેનેટાઈઝ કરવામાં આવ્યા હતાં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

જૈન સમાજ પર ટિપ્પણી કરતા સાંસદ માફી માંગે સહિતના મુદ્દાઓ પર ખેડા જૈન સમાજે પાઠવ્યું કલેકટરને આવેદન.

ProudOfGujarat

ગોધરા : સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાયું.

ProudOfGujarat

‘વિશ્વ પૃથ્વી દિવસ’ પર ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!