Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવાગઢ : ખુણિયા મહાદેવનાં ધોધ પાસે ફસાયેલા ૭૦ સહેલાણીઓને પોલીસે રેસ્ક્યુ કરીને બચાવ્યા.

Share

ગુજરાતભરમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે નદીનાળા ડેમો પણ છલકાઈ ગયા છે.પંચમહાલના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા ખુણીયા મહાદેવના ધોધમાં નાહવાનો આનંદ માણવા ગયેલા ૭૦ થી વધુ સહેલાણીઓ વરસાદને કારણે પાણી વધી જતા ફસાઈ ગયા હતા. જેમને પાવાગઢ પોલીસે રેસ્કયુ કરીને બચાવી લીધા હતા. પંચમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ હાલ ચોમાસાની ઋતુમાં લીલીછમ વનરાજીથી ખીલી ઉઠ્યુ છે.આ પાવાગઢ પર્વતની તળેટીમાં ખુણિયા મહાદેવનો ધોધ આવેલો છે.જેમા નાહવાનો આનંદ લેવા ગુજરાતભરમાંથી પર્યટકો આવે છે. હાલમા કોરોનાની મહામારી ચાલી રહી હોવા છતા પોતાના જીવને જોખમ મુકી રહ્યા છે. રવિવારે બપોરે ખૂણિયા મહાદેવ ધોધ ખાતે નાહવાનો આનંદ માણીને પરત ફરતા ૭૦ જેટલા સહેલાણીઓ રસ્તામા આવતા ઝરણાનું પાણી વરસાદને કારણે વધી જતા ફસાઈ ગયા હતા.આ બનાવની જાણ પાવાગઢ પોલીસને થતા પી.આઈ સહિત સ્ટાફ બનાવ સ્થળે પહોચી સહેલાણીઓને દોરડાની મદદથી બચાવી લીધા હતા.

પંચમહાલ, રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વડોદરામાં ટોલટેક્સ બચાવવા અપનાવેલ નુસખો ભારે પડ્યો: નકલી સીબીઆઈ ઓફિસર તરીકેનો ભાંડો ફૂટ્યો

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા તાલુકા માટે વિકાસશીલ તાલુકા હેઠળ રૂા. ૨ કરોડના આરોગ્યલક્ષી સવલતના ૧૯૪ કામો મંજુર…

ProudOfGujarat

નર્મદામાં સ્કૂટર લઇને શાળા-ટ્યુશને જતા 18 વર્ષથી નાના બાળકોને ટ્રાફિક પોલીસ ઝડપી દંડ ફટકારશે,વાલીને પણ સજાની જોગવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!