Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ મોહદીસે આઝમ તેમજ સખી દાતા દ્વારા ગરીબોમાં અનાજનું વિતરણ કરવામાં આવ્યું.

Share

પાલેજ નગરમાં ગુરૂવારના રોજ કોરોનાનાં પગલે ગરીબ કુટુંબો ભૂખમરામાં ના સપડાઈ જાય માટે સખી દાતાઓ તેમજ મોહદીસે આઝમ પાલેજ બ્રાન્ચ દ્વારા પાલેજના નવીનગરી વિસ્તારમાં ગરીબ કુટુંબોને જીવન જરૂરિયાતની ઘર વખરી ઉપલબ્ધ કરાવી ગરીબ કુટુંબોને રાહત પહોંચાડવામાં આવી હતી.પાલેજ નગરમાં રોજિંદી મજૂરી તેમજ લારી-ગલ્લા તેમજ છુટક કામ કરી જીવન નિર્યાત કરતા ગરીબ કુટુંબો કોરોનાની મહામારી અનુસંધાને કરવામાં આવેલ લોક ડાઉનમાં મુસીબતમાં ના મુકાઈ જાય માટે ગામના આગેવાનો,યુવાનો તેમજ અનેક ધાર્મિક સામાજિક સંગઠનો આગળ આવી છુટા હાથે મદદ કરી રહ્યા છે.ગુરૂવારના રોજ પાલેજ મોહદીસે આઝમ તેમજ સખી દાતાઓ દ્વારા પાલેજના ગરીબ કુટુંબોમાં અનાજ તેમજ શાકભાજી જેવી પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓની કિટો તૈયાર કરી ઘેર બેઠા ઉપલબ્ધ કરાવી પ્રશંસનીય કામગીરી બજાવી હતી, મોહદીસે આઝમ મિશન બ્રાન્ચ પ્રમુખ હાજી ફારૂખ લાંગિયા મક્કા મસ્જિદ ના ઇમામ મોલના અહમદ અલી અશરફી તેમજ પઠાણ સિકંદર ખાન હસન ખાન ઝંડા સાથે મળી નગરમાં વસવાટ કરતા ગરીબોની વહારે આવી તેઓની અનાજની જરૂરિયાતની દરકાળ લેતા ચોતરફી પ્રશંસા થઈ રહી છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ટપલાવાવ ગામ ખાતેથી જંગી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

વડોદરા મનપાના વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી કર્યું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત.

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ખાતે “ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ” પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!