Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પાલેજ ખાતે પીર મોટામીયા બાવાના બે દિવસીય ઉર્સનો પ્રારંભ…

Share

 ઘેર ઘેર ગાયો પાળોનો ઉપદેશ અાપનાર, કોમી એક્તાના પ્રખર હિમાયતી તથા માનવસેવાના ભેખધારી એવા રાજવલ્લભ રાજગુરૂ, હિઝ હોલીનેસ જેવી પદવીઓથી સન્માનિત થયેલા હજરત પીર મોટામીયા બાવા સાહેબના બે દિવસીય ઉર્સ (મેળા)નો પાલેજ ખાતે શુક્રવારથી દબદબાભેર પ્રારંભ થયો છે.
અા પ્રસંગે મોટામીયા બાવા સાહેબ માંગરોળના ગાદી રચિત GSPRFદ્વારા ચાલો માનવતા મહેકાવીએનું પણ ભવ્ય અાયોજન કરેલ હોઇ અા પ્રસંગે મૂળ સ્વરૂપે લખાયેલી ભક્તિ સાગર તથા ચિશ્તિયા સિલસિલાના મહાન સુફી સંત ઓલિયા પુસ્તકોનું વિમોચન કરાશે. અા પ્રસંગે ઇતિહાસકાર ડો. મહેબુબ દેસાઇ, કવિ રઇસ મનીયાર તથા શિક્ષણ વિદ ડો.  રાયસિંગ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ વકતવ્ય અાપશે.
અા પ્રસંગે પાલેજ નગર સહિત પંથકના ગ્રામિણ વિસ્તાર સહિત મોટામીયા બાવા સાહેબના અાદિવાસી વિસ્તાર માંડવી તાલુકાના ચીધરી સમાજના અનુયાયીઓ સહિત  હિંદુ – મુસ્લિમ સંપ્રદાયના લોકો અા બે દિવસીય ઉર્સ (મેળામાં) ભાગ લઇ સાંપ્રત સમયમાં માનવ – માનવ વચ્ચે વેર ઝેર સર્જી સમાજમાં વૈમન્સ્ય સર્જનાર માનવતાના શત્રુઓને કોમી એક્તારૂપી સેતુનો એક અનુપમ સંદેશ પુરો પાડી ઉલ્લાસભેર બે દિવસીય ઉર્સ (મેળામાં) ભાગ લઇ કોમી એક્તાના દિપકને પ્રજવલ્લિત કરશે…

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અહેમદભાઈ પટેલનાં અંતિમ દર્શન ટાણે લોકો શોક મગ્ન બની હીબકે ચઢયા.

ProudOfGujarat

ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા શુક્લતીર્થ ગામે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનાજની કીટનું વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચ : વતન જવા માંગતા શ્રમિકોને સતત ટિકિટ દરનાં રૂપિયાનું થઇ રહેલું કોંગ્રેસ કાર્યાલય ખાતેથી વિતરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!