Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેડ ઇન ચાઇનાનો સંપૂર્ણ બહિષ્કાર કરવા જમીયતે પાલેજમાં જનતાને આહવાન કર્યું.

Share

ભારત અને ચીનની સરહદે ચાલતાં તણાવમાં ભારતનાં અનેક જવાન શહીદ થયાં છે. ત્યારે ચીનની આંડોડાઈ સામે દેશ ભરમાં આંતરિક રોષ ફેલાયો છે. તેવામાં પાલેજ જી.ભરૂચ ખાતે ચાઈનીઝ આઇટમોનો બહિષ્કાર કરવામાં આવે એવું આહવાન જમીયતનાં સેક્રેટરીએ કર્યું હતું.પાલેજ ખાતે સોમવારે 11 કલાકે જન મેદની દ્વારા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.પાલેજ અંકુર સોસાયટી નજીક જમીયતની ઓફિસે ચાઇનાની આઇટમોનો બહિષ્કાર કરવાનું આહવાન ગુજરાત જમીયતનાં સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલે કર્યું હતું. બેનરો સાથે ચીનનો વિરોધ નોંધાવી દેશવાસીઓમાં જાગૃતા ફેલાવી હતી. આ તકે પાલેજનાં મુસ્તુફાભાઈ લાંગિયા, મહંમદ સફી પટેલ, મકસૂદ ઈબ્રાહીમ મુકરદમ પટેલ, દેવીલાલ, મહેશ મિસ્ત્રી, પ્રભુ રાજેસ્થાની ઉપસ્થિત રહ્યાં હતાં.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ભરુચ : રૂ.૪૪૬ કરોડની ઉઘરાણી કરી નાસી છૂટેલા દિલીપ જૈન પર ફાસ્ટટ્રેક કોર્ટમાં કાર્યવાહી કરવા રોકાણકારોની માંગ.

ProudOfGujarat

અંકલેશ્વરના ગોપાલ નગર પાસે ભરાતા શનિવારી બજારમાંથી ફોન અને પાકીટની ચોરી કરનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચમાં તા.૧૮/૧૧/૨૦૨૧ એ મેગા વેક્સીનેશન પ્રોગ્રામ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!