Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેડ ઇન ચાઇનાનો સંપૂર્ણ બહિષ્કાર કરવા જમીયતે પાલેજમાં જનતાને આહવાન કર્યું.

Share

ભારત અને ચીનની સરહદે ચાલતાં તણાવમાં ભારતનાં અનેક જવાન શહીદ થયાં છે. ત્યારે ચીનની આંડોડાઈ સામે દેશ ભરમાં આંતરિક રોષ ફેલાયો છે. તેવામાં પાલેજ જી.ભરૂચ ખાતે ચાઈનીઝ આઇટમોનો બહિષ્કાર કરવામાં આવે એવું આહવાન જમીયતનાં સેક્રેટરીએ કર્યું હતું.પાલેજ ખાતે સોમવારે 11 કલાકે જન મેદની દ્વારા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.પાલેજ અંકુર સોસાયટી નજીક જમીયતની ઓફિસે ચાઇનાની આઇટમોનો બહિષ્કાર કરવાનું આહવાન ગુજરાત જમીયતનાં સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલે કર્યું હતું. બેનરો સાથે ચીનનો વિરોધ નોંધાવી દેશવાસીઓમાં જાગૃતા ફેલાવી હતી. આ તકે પાલેજનાં મુસ્તુફાભાઈ લાંગિયા, મહંમદ સફી પટેલ, મકસૂદ ઈબ્રાહીમ મુકરદમ પટેલ, દેવીલાલ, મહેશ મિસ્ત્રી, પ્રભુ રાજેસ્થાની ઉપસ્થિત રહ્યાં હતાં.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાના નહાર ગામે ફરતા પશુદવાખાના દ્વારા ઇજાગ્રસ્ત ગાયની સારવાર કરી

ProudOfGujarat

શહેરા તાલુકાની પસનાલ પ્રાથમિકશાળા તંત્ર દ્રારા SMC ના મુદ્દે મનમાની કરાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ProudOfGujarat

જીલ્લા ભાજપ પ્રમુખ વિશે છોટુભાઇ વસાવાએ ઉચ્ચારેલ શબ્દો વિરુધ્ધ ઝઘડિયા ભાજપાનું આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!