Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ગ્રામ પંચાયત દ્વારા કોરાના વાઇરસનાં કહેરમાં માનવતા મહેકાવી, વતન જતાં પરપ્રાંતીય માટે સતત 5 માં દિવસે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં ગ્રામ પંચાયત સરપંચ નસીમ બાનું તેમજ સદસ્યો સલીમ વકીલ તેમજ તલાટી કિરણસિંહ ચાવડા તેમજ સુરેશભાઈ વાળંદ સાથે યુવાનો સ્ટાફની મદદથી પાલેજ ગ્રામપંચાયતે સરકાર દ્વારા જ્યારે પરપ્રાંતીયો પોતાના વતનમાં જવાની પરવાનગી આપી છે ત્યારે વતનમાં જવા માટે ઓનલાઇન અરજી કરી આપવામાં આવે છે. ઉપરાંત બીજા રાજ્યોમાં જતા લોકો માટે હાલ પાલેજ ગ્રામ પંચાયત દરરોજ જમવાની સુવિધા તેમજ રવાનગી સમયે પીવા માટે ઠંડા પાણીની બોટલ આપવામાં આવે છે. તારીખ ૧૬ મી ને શનિવારે બિહાર, યુ.પી નાં પરપ્રાંતીયો વતન તરફ જઈ રહ્યા છે. તેઓને પાલેજથી ભરૂચ રેલવે સ્ટેશને પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોરાના વાઇરસની આપત્તિનાં સમયે પાલેજ ગ્રામ પંચાયતે ગામમાં ગરીબથી માંડી મધ્યમવર્ગનાં અનેક કુટુંબોને સીધુ રાસન કિટો પણ ઘેર બેઠાં પહોંચાડી છે. ગ્રામ પંચાયતની કામગીરીની વહીવટી તંત્રે વિશેષ નોંધ લીધી હતી અને ગ્રામ પંચાયતને બિરદાવી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

નર્મદા પુનઃ એકવાર બે કાંઠે : કાંઠા વિસ્તારના ગામોને એલટૅ

ProudOfGujarat

ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં બિસ્માર માર્ગનાં કારણે વેપારીને નુકસાન…વેપારી મંડળ મેદાનમાં ઊતર્યું…

ProudOfGujarat

ભરૂચ ખાતે કોરોના દર્દીઓ માટે 200 બેડની કોવીડ હોસ્પિટલ શરૂ કરવા બાબતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!