Proud of Gujarat
EntertainmentFeaturedGujaratINDIAUncategorized

પદ્માવત અંગે પ્રસૂન જોશીએ ખુલાસો કર્યો કે, આ બધી ગોસિપ કૉલમોની કમાલ છે

Share

કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના વડા તેમજ આગેવાન ગીતકાર પ્રસૂન જોશીએ કહ્યું હતું કે ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ ફિલ્મ પદ્માવતમાં સેન્સર બોર્ડે ૩૦૦ કટ્સ સૂચવ્યા હોવાના મિડિયા રિપોર્ટ સાવ ખોટ્ટા છે ‘આ બધી મિડિયાની ગૉસિપ કૉલમોની કમાલ છે. સેન્સર બોર્ડે પદ્માવતમાં ત્રણસો કટ્સ સૂચવ્યા નથી. જે પાંચ છ સૂચનો કર્યાં હતાં એ વિશે હું જાહેરમાં નિવેદન આપી ચૂક્યો છું. એથી વધુ મારે કશું કહેવાનું રહેતું નથી.

ગોસિપ કૉલમિસ્ટ્સ આવા રિપોર્ટ દ્વારા પોતાના મિડિયાનો ફેલાવો વધારવાના પ્રયત્નો કરતા રહે છે. પરંતુ પદ્માવત અંગેના રિપોર્ટમાં સચ્ચાઇ નથી’ એમ પ્રસૂન જોશીએ કહ્યું હતું. ફિલ્મન બનાવવાની શરૃઆત થઇ એના પહેલાજ દિવસથી સતત વિવાદોના કેન્દ્રમાં અને હિંસક દેખાવોના ઘેરામાં રહેલી પદ્માવત આખરે ૨૫ જાન્યુઆરીએ રજૂ થવાની છે.

Advertisement

જો કે ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખીલજીના રોલને ગ્લેમરાઇઝ્ડ કરાયો છે એેવા કહેવાતા આક્ષેપને કારણે જે જે થિયેટરોમાં આ ફિલ્મ રજૂ થશે એને અમે બાળી નાખીશું એવી ધમકી કરણી સેનાએ આપી હતી. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી તોળાઇ રહી છે એટલે ત્યાં આ ફિલ્મની રજૂઆત પર બૅન જાહેર કરવામાં આવ્યો હતો. ટ્રેડ પંડિતો માને છે કે આવા બિનજરૃરી વિવાદોથી આખરે તો ફિલ્મને જ લાભ થશે.
સૌજન્ય


Share

Related posts

વડોદરા : LRD નાં જવાન એ દારૂના નશામાં બસના કંડકટરને લાફા ઝીંકી દીધા.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ કુમારશાળામાં “એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

આદર્શ આચાર સંહિતામાં ચૂંટણી પ્રચારમાં ગેરરીતી સહિતની બાબતોને સખત શબ્દોમાં વખોડી કાઢતા કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા

ProudOfGujarat
error: Content is protected !!