Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડાતા રહીશો હેરાન પરેશાન.

Share

નેત્રંગ ગામમાં આવેલ ગાંધીબજારના ડબ્બા ફળીયા વિસ્તારમાં આવેલ એક કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડતા રહીશો હેરાન પરેશાન થઈ રહી છે. નેત્રંગના ડબ્બા ફળીયા વિસ્તારમાંથી વરસાદી – કુદરતી પાણીના નિકાલ માટેનું કોટરડું પસાર થાય છે. જે સીધું નેત્રંગમાં આવેલ અમરાવતી નદીમાં જઈ મળે છે. નદીના કિનારેજ નેત્રંગ ગ્રામપંચાયતનો પાણીનો કૂવો આવેલ છે. જેમાંથી ઘણા વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.છેલ્લા કેટલાક સમયથી આ કોતરડામાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવે છે. સાથે-સાથે ઉપરનાં વિસ્તારના લોકો આ કોતરડામાં પોતાના ખાળકુવાનું ગંદુ અને દુર્ગંધવાળું પાણી મોટરની મદદથી આ કોતરડામાં છોડે છે. જેથી કોતરડું ગંદકીથી ખદબદે છે. સવાર-સાંજ તેમાંથી ભયંકર દુર્ગંધ(વાસ) આવે છે. એટલુ જ નહીં મચ્છરોનો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉપદ્રવ વધી ગયો છે. જેથી રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. આ ગંદુ પાણી નદી કાંઠે આવેલ પીવાના પાણીનો કૂવો છે. જેમાંથી ઘણાય વિસ્તારોના લોકો પાણી પીવે છે. જો વહેલી તકે કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવે તો ભયંકર રોગચાળો ફેલાવવાણી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ આવે છે. ગ્રામપંચાયતના સત્તાધીશોને વારંવાર આ સંદર્ભે મૌખિક રજૂઆત કરવા છતાં યોગ્ય પગલાં લેવાતા નથી. વહેલી તકે આ બાબતે નિર્ણય લઈ નિવારણ લાવે તેવી ડબ્બા ફળિયાના રહીશોની માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં સીઝનલ ફ્લૂનો વધુ એક દર્દી મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું…

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વાડીયા ગામના નાળામાં વરસાદમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલી…

ProudOfGujarat

અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા રોડ પર આવેલ બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!