Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું.

Share

નેત્રંગ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાના ખેડૂતોને કનગડતા પ્રશ્નોનું નિવારણ લાવવા માટે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલને સંબોધીને નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતુ.

ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ નેત્રંગ પંથકના ખેડૂતોએ પઠાવેલ આવેદનપત્ર મુજબ તેઓએ રજુ કરેલા મુદાઓમા (૧) સમાનન સિંચાઈ દૂર કરવી, (૨) વિજળીમાં ફિકસ ચાર્જ નાબુદ કરી હોસપાવર આધારિત વિજળી આપવી, (૩) રિસર્વેમાં ખેડૂતોને થતી હેરાનગતી દૂર કરવી, (૪) વીજળીનો રાત્રીનો શિડયુલ દૂર કરીને દિવસે આપવી, (૫) સિંચાઈથી વંચિત નેત્રંગ તાલુકા ને સિચાઇ ની સુવિધાઓ પ્રાપ્ત કરાવો (૬) ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓનું ભારતીય કિસાન સંઘને જાણ કરવામાં આવે એ બાબતે રાજ્યપાલને સંબોધી નેત્રંગના નાયબ મામલતદાર નવનીતભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું. જે સમયે ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘ યુવા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ, સહકારી આગેવાન, કિશોરસિંહ વાંસદીયા, રણજીતસિંહ ઘડિયા, જયપ્રકાશ પટેલ, અનિલાબેન વસાવા, રેણુકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદમાં મિશન રોડ પર ડીઝલ જનરેટર ટ્રોલીમાં લાગી આગ.

ProudOfGujarat

વડોદરા : કોરોનાના વધી રહેલ કેસના પગલે ૬૮ જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ.

ProudOfGujarat

ભરૂચ વાલિયાનાં કરા ગામ ખાતે એક મકાનમાંથી લાખોની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!