Proud of Gujarat
INDIAFeaturedGujarat

નેત્રંગમાં તૌકતે વાવાઝોડાથી કેળ અને કેરીના પાકો થયા નષ્ટ…

Share

પ્રાપ્ત માહિત મુજબ સમગ્ર રાજ્ય કોરોના સંકમણના દર્દીઓના વધારાની સાથે એકાએક તૌકતે વાવાઝોડાની ઝપેટમાં આવતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, છેલ્લા બે દિવસથી પવન તેજ ગતિએ ફુંકાતા ઘરના છાપરાના પતરા-નડીયા ઉડવા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સહિત ઉડતી ધુળની ડમરીઓથી રહીશોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે,

તેજ ગતિના વાવાઝોડાના કારણે વીજ કંપનીના વાયરો તુટી પડવાથી છેવાડાના ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો, ભારે ગરમી-બફારાના કારણે રહીશોની હાલત બદ્દતર બની જવા પામી હતી.

જેમાં મુખ્યત્વે તૌકતે વાવાઝોડાની મુખ્ય અસર ખેતી ઉપર પડી રહી હતી, જેમાં કેળનો તૈયાર પાક જમીનદોસ્ત થઇ ગયો હતો, અને કેરીના ઝાડ ઉપરથી કેરીઓ ખરી પડી હતી, ૮૦ ટકાથી વધુ કેરી અને કેળના પાકને નુકસાન પહોંચ્યાનું અનુમાન સેવાઇ રહ્યું છે, ખેડુતને ખાતર, બિયારણ અને ખેતમજુરી ફણ માથે પડી હતી, ખેડુતોની દયનીય હાલત બની વળતરની માંગ કરી રહ્યા છે, તૌકતે વાવાઝોડાની અસર હાલ પણ વતૉઇ રહી છે, આવનાર સમયમાં ભારે નુકસાન થઈ શકે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ મહામંત્રીની શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અંગે કરાઇ રજૂઆત.

ProudOfGujarat

હરસિધ્ધિ માતાજીના મંદિરે નવરાત્રિ મહોત્સવની ઉજવણી દરમિયાન સુચારૂ વ્યવસ્થા ગોઠવવા નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસનો અનુરોધ નવરાત્રિ મહોત્સવની ઉજવણીના આગોતરા આયોજન અંગે મળેલી બેઠક

ProudOfGujarat

ખેડા : રાસ્કા, વાંઠવાળી અને માંકવા ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવિન મકાનના બાંધકામનું કરાયું ખાતમૂર્હુત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!