Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાનાં મેવાસનાં સેવાભાવી મુસ્લિમો દ્વારા 100 જેટલી અનાજ કીટનું વિતરણ કરાયું.

Share

હાલ કોરોના મહામારીનાં કારણે લોકડાઉનમાં ગરીબોની હાલત કફોડી બની છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ આગળ આવી ગરીબ વર્ગને ભોજન તેમજ અનાજ પાણીનું વિતરણ કરાયું છે ત્યારે નર્મદા જિલ્લાનાં તિલકવાળા તાલુકાના મેવાસના મુસ્લિમ સેવાભાવી યુવાનો દ્વારા તિલકવાળા સહિત આસપાસનાં ગામોમાં ગરીબોને 100 જેટલી અનાજની કિટોનું વિતરણ કર્યું હતું.

મેવાસ મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવેલી કીટમાં ચોખા, ઘઉં, તુવેરદાળ, ખાંડ, તેલ, હળદર, મરચું, ધાણા પાવડર, ચા, નહાવાના સાબુ, ડુંગળી, બટાકા, સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી. સમાજનાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે અમે લોકડાઉનમાં લોકોનાં ધંધા રોજગાર બંધ છે ત્યારે જે જરૂરતમંદ લોકો છે તેમને 100 જેટલી કીટનું વિતરણ કર્યું છે અને આગળ જો જરૂર જણાશે તો આ સેવા આપવા અમે સમસ્ત મેવાસના મુસ્લિમ સમાજ તૈયાર છીએ.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

પોલીસને ચકરાવે ચઢાવે તેવી રહસ્યોની માયાજાળ : અમરતપુરા ગામે ધડ માથા વગરનો મૃતદેહ મળી આવ્યા બાદ બીજી જગ્યા પરથી શરીરના બીજા ભાગોની બેગ મળી.

ProudOfGujarat

ઝઘડીયાની શ્રીરામ આલ્કલી એન્ડ કેમિકલ કંપનીનાં મટીરીયલ ગેટ પાસે મોકડ્રિલ યોજાઇ.

ProudOfGujarat

અમદાવાદ-RTO દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવ – 12 સ્કૂલ પર યોજી ટ્રાફિક ડ્રાઈવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!