Proud of Gujarat
FeaturedGujarat

નર્મદા જિલ્લાની મહિલાએ કેમ પીએમ મોદીને ભૂખ હડતાળની ચીમકી આપી જાણો હકીકત…

Share

દિનેશ અડવાણી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે કેહવાતા દત્તક ભાઈએ પોતાને વારસાઈ અધિકારથી વંચિત રાખી સર્વે નંબર 662 અને 663ની જમીન વેચી દીધી હોવાનો આક્ષેપ સાથે લીંબીબેન જગાભાઈ મરાઠેએ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી.બાદ એ જમીન ખરીદનારે ત્યાં બાંધકામ ચાલુ કર્યું હતું.પોતાની રજુઆતમાં એ મહિલાએ એમ પણ જણાવ્યું હતું કે આ મામલે કોર્ટ કેસ ચાલે છે,પંચાયતે પણ બાંધકામની મંજૂરી આપી નથી તથા જમીન એનએ પણ કરાવી નથી તે છતાં બાંધકામ ચાલુ જ છે.આ ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવી તોડી પાડવા વિનંતી કરી હતી.

Advertisement

પોતાની આ રજુઆત કરવા છતાં નર્મદા જિલ્લાના સરકારી અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાયા હોવાના આક્ષેપ સાથે લીંબીબેન મરાઠેએ હવે પછી જો ન્યાય નહિ મળે તો ભૂખ હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપતો એક પત્ર પીએમ મોદી,ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય હોદ્દેદારોને લખ્યો છે.એ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે પંચાયતની પરવાનગી વિના થતું આ ગેરકાયદેસરનું બાંધકામ ચાલુ રાખવા નર્મદા જિલ્લાના અધિકારીઓને રાજકીય દબાણ છે.મારી પ્રથમવારની રજુઆત બાદ અત્યાર સુધી જો આ બાંધકામ રોકવા અધિકારીઓ દ્વારા આદેશ કરાયો હોય તો મને એની નકલ આપવા વિનંતી.હું ગરીબ મધ્યમ પરિવારમાંથી આવું છું,મારી પાસે કોઈ રાજકીય વગ પણ નથી.તો જ્યાં સુધી કોર્ટ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી આ બાંધકામ અટકે એવી મારી વિનંતી છે.


Share

Related posts

ભરૂચ-એ.ટી.એમ કાર્ડ ક્લોનિંગ કરી રૂપિયા ઉપાડી લેતી ગેંગ ના બે સાગરીત પોલીસના સકંજામાં …

ProudOfGujarat

વડોદરા : સયાજી હોસ્પિટલની લેબમાં 11,738 આરટીપીસીઆર ટેસ્ટ કરતાં તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે આમ આદમી પાર્ટીનો જન સંવેદના કાર્યક્રમ નગરપાલિકાના માં શારદા ભવન ખાતે યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!