Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાનાં 9 કોરોના દર્દીઓ સાજા થતા એ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન મુક્ત કર્યા.

Share

નર્મદા જિલ્લામાં ગત 15મી એપ્રિલથી 17 મી એપ્રિલ દરમિયાન 11 જેટલા કોરોના પોઝિટિવ કેસો મળી આવતા તંત્રમાં ચિંતા વધી હતી.હવે એ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે આવશ્યક પગલાં લેવાના ભાગ રૂપે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા હતા.કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી કોઈ વ્યક્તિ બહાર ન જઈ શકે કે કોઈ અંદર ન આવી શકે. હવે કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરેલા વિસ્તાર પૈકી ગરુડેશ્વરના ખડગદા, ડેડીયાપાડાનું ડુમખલ-બઇડી-ભૂતબેડા, નાંદોદ તાલુકાના વાઘેથા-કુંવરપરા, સાગબારાનું સેલંબા તથા રાજપીપળાના રાજપૂત ફળિયું-કોલીવાડ વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના દર્દીઓ સાજા થઈ જતા એમને COVID:19 હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આજ દિન સુધી એ વિસ્તારમાં કોઈ કોરોના પોઝિટિવ કેસ ન મળતા નર્મદા કલેકટર મનોજ કોઠારીએ ઉપરોક્ત વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપતો હુકમ કર્યો છે.

મોન્ટુ
રાજપીપલા નર્મદા બ્યુરો

Advertisement

Share

Related posts

માંડવી : તાપી નદીના રિવરફન્ટ ખાતે જળ સ્તર વધતા કાદવમાં તવેરા કાર ફસાઇ.

ProudOfGujarat

પડવાઇ સુગર ખાતે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સઘ ની સામાન્ય સભા યોજાઈ…

ProudOfGujarat

ઝઘડિયા ખાતે મોટરસાયકલ અને સ્કુટર વચ્ચેના અકસ્માતમાં બંને ચાલકોને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!