Proud of Gujarat
FeaturedGujaratINDIA

કપડવંજમાં ત્રણ વ્યક્તિઓને વિજ કરંટ લાગતા એકનુ મોત, જ્યારે બે લોકો સારવાર હેઠળ

Share

કપડવંજના હીરાપુરાની સીમમાં ખેતરની અંદર બોરની કામગીરી સમયે થાંભલો ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડી જતા ત્રણ વ્યક્તિઓને વિજ કરંટ લાગતા એકનુ મોત નિપજ્યું છે. જ્યારે બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કપડવંજ તાલુકના અલવા હીરાપુરા ગામના ખેતરમાં બોર બનાવવાની કામગીરી ચાલુ હતી. તે સમયે  ગાડીમાં આવેલ ઘોડીનો થાંભલો બેસાડવા જતા ખેતરમાંથી પસાર થતી ૬૬ કેવી વીજ લાઈનને થાંભલો અડી જતાં કામ કરતા બળદેવભાઈ અરજણભાઈ પરમાર(રહે. કપડવંજ)ને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. તેમજ તેમની સાથે  તુષારસિંહ બદેસિંહ પરમાર તથા મહોબતસિંહ પરમાર (બન્ને રહે. કપડવંજ)ને ઓછા-વત્તા પ્રમાણમાં ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને  તાત્કાલિક એમ્બ્યુલન્સમાં ત્રણેય ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે કપડવંજની હોસ્પિટલ ત્યારબાાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂકી સારવાર દરમ્યાન બળદેવભાઈનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.આ બનાવ મામલે કપડવંજ ગ્રામ્ય પોલીસએ અપમૃત્યુ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ટેલિગ્રામ મેસેન્જર પર પોતાની પ્રથમ પ્રકારની વીમા સર્વિસ શરૂ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી ખાતે ૧૩ કરોડ ઉપરાંતના મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી કંપનીના મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરતી એસ.ઓ.જી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના લુહાર સમાજના અગ્રણી હીરાભાઈ ભયજીભાઈ લુહાર (રાઠોડ) નું અવસાન થતાં ગુજરાત લુહાર સમાજમા માતમ છવાઈ ગયું હતું : કાલોલ નગરમાં રહેતા વેપારીઓ દ્વારા દુકાનો સ્વયંભૂ બંધ રાખી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!