Proud of Gujarat
FeaturedGujaratINDIA

સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં સ્વદેશીથી સ્વરોજગારી તરફ વિષય પર વ્યાખ્યાન યોજાયું.

Share

ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં નડિયાદના આચાર્ય ડો.મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી એનએસએસ યુનિટ દ્વારા બાબુ ગેનૂ સઈદની જન્મજયંતિ નિમિત્તે બલિદાન દિવસ અંતર્ગત ‘સ્વદેશીથી સ્વરોજગારી તરફ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. મુખ્ય વક્તા તરીકે ડીડીએલટી  કોલેજના અઘ્યાપક અને સ્વદેશી જાગરણ મંચ, ખેડા જિલ્લાના સક્રિય સભ્ય ડો. કવિતભાઈ શાહે ઊપસ્થિત રહી સ્વદેશી અપનાવી સ્વરોજગારી વિકસાવવા માટે વિદ્યાર્થીઓને સુંદર માહિતી આપી હતી.

અમર શહીદ બાબુ ગેનૂ સઈદએ ૧૯૦૮ માં સ્વદેશી અપનાવવા માટે ૨૨ વર્ષે શહીદી વ્હોરી હતી. તેના માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્યએ વિદ્યાર્થીઓને સ્વદેશી અપનાવી દેશ પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે આહવાન કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત કુ.દામિની મારવાડી અને કુ.નિકિતા રોહીતે કરેલી પ્રાર્થનાથી થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન એસ એસ  પ્રોગ્રામ ઓફીસર ડો. પ્રકાશભાઇ વિછીયાએ કર્યુ હતું તથા આભારવિધિ એન એસ એસ સ્વયંસેવક ધ્રુવ જોશીએ કરી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ખેડામાં BSF જવાનની હત્યાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જાણો શું હતો મામલો

ProudOfGujarat

ભરૂચનાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે પત્રકારો અને ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ માટે યોજાયો હેલ્થ ચેકઅપ કેમ્પ….

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!