Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જીઆઇડીસીમાં આવેલ સ્મશાનમાં લાકડા મુકેલા રૂમમાં આગ લાગી

Share

નડિયાદમાં ગુરૂવાર સવારે સ્મશાનના લાકડાના રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે.

નડિયાદમાં કમળા જીઆઈડીસીમાં આવેલ સ્મશાનની ઓરડીમાં જ્યાં લાકડા મુકેલ હતાં તે જગ્યાએ આજે સવારે એકાએક કોઈ કારણસર આગ લાગી હતી. સૂકા લાકડા હોવાનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે ધૂમાડા નિકળતા આસપાસના લોકોએ તુરંત નડિયાદ ફાયરબ્રિગેડને કોલ કરી જાણ કરી હતી. તુરંત ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી એક કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ પણે કાબૂમાં આવી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. સ્મશાનમાં લાકડા મુકવાની રૂમમાં આગના બનાવથી લાકડા બળીને ખાખ થઇ ગયા છે.

Advertisement

Share

Related posts

પંચમહાલમાં બોર્ડની ઉત્તરવહી તપાસણી શરૂ કરવામાં આવતાં કોરોનાને લઇને સેન્ટરોને પણ સેનેટાઇઝ કરાયા.

ProudOfGujarat

ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પૂરતું પાણી આપવા વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

નવા તવરા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!