Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજની બહેનોએ ગાંધી સંસ્થાઓની સફાઈવંદના કરી

Share

મહાત્મા ગાંધીજી માટે નડિયાદ શહેરમાં અનેકવાર નિવાસસ્થાન બનેલા હિંદુ અનાથ આશ્રમની સફાઈ કોલેજની બહેનોએ વહેલી સવારથી શરુ કરી. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો ઉપર આવેલા સરદાર,ગાંધી,આંબેડકર, ઈન્દુચાચા અને ગોર્વધનરામ ત્રિપાઠી વગેરેની પ્રતિમાઓ(પૂતળાઓ)ની પણ સફાઈ વંદના કરી. ત્યારબાદ આ બહેનોએ વિઠ્ઠલકન્યા વિદ્યાલય ખાતે સરદાર સાહેબના ગુરુબંધુ વિઠ્ઠલભાઈ પટેલના સ્ટેચ્યુની પણ સફાઈવંદના કરી. કોલેજના એન એસ એસ, એન સી સી સ્પોર્ટ્સ  અને સ્ટુડન્ટ યુનિયન ની ૧૦૦થી વધુ બહેનોએ બીજી ઓક્ટોબરની ગાંધી જયંતિની પૂર્વ સવારે સ્વછતા હી સેવા યોજના અંતર્ગત આ વિશિષ્ટ સફાઈવંદના કરી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે કાલે ૭ મો AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો – ૨૦૧૮ ખુલ્લો મુકાશે.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પત્તા-પાનાનો જુગાર રમતા ચાર જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે મુલાકાતી-પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જન્માવતું પોલીસ ટેકનોલોજીનું અનોખું પ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!