Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જવાહરનગર વિસ્તારમાં મકાનની બારીના કાચ તોડી ૧૩.૪૦ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

Share

નડિયાદના જવાહરનગર વિસ્તારમાં આવેલ બંગલામાં તસ્કરો ત્રાટકયા છે. બંધ મકાનની બારીના કાચ તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા ૧૧ લાખ અને અમેરીકન ડોલર મળી ૧૩.૪૦ લાખના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા. પરિવારના સભ્યો પંજાબ અમૃતસર ખાતે સુવર્ણ મંદિરે દર્શન કરવા ગયા હતા અને તસ્કરોએ બંગલામાં ચોરી કરી લાખોની મત્તાના મુદ્દામાલની ચોરી કરી છે. નડિયાદ ટાઉન પોલીસમાં ફરીયાદ નોધાઈ છે.

નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં મેડીકલ સ્ટોરની પાછળ  દિપ બંગ્લોઝમા ભગવાનદાસ મોટવાણી રહે છે. તેઓની દિકરી જુન માસમાં નોર્થ અમેરિકાથી ઈન્ડિયા વતનમાં આવી હતી. ૪ જુલાઈના રોજ ભગવાનદાસ તેમની પત્ની અને દિકરી મકાન બંધ કરી પંજાબના અમૃતસર સુવર્ણ મંદિરે દર્શન કરવા ગયા હતા. ભગવાનદાસનો દિકરો પ્રદિપભાઈ જે નડિયાદ ખોડીયાર ગરનાળા પાસે અલગ જગ્યાએ રહે છે તે ૬ જુલાઇના રોજ ઉપરોક્ત જવાહરનગરના બંગલે કામ અર્થે આવ્યા હતા. ત્યારે ઘરની અંદર બેડરૂમનો સરસામાન વેરવિખેર  હતો અને બેડરૂમની બારીનો કાચ તૂટેલ  હતો આ જોઈ ચોકી ગયા હતા. ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં તેઓએ ઘરમાં તપાસ કરતાં લાકડાના કબાટની અંદર દિવાલમાં ફીટ કરેલ લોખંડનું લોકર તૂટેલી હાલતમાં હતું. બીજા બેડરૂમમાં પણ સમાન વેરવિખેર અને કબાટ ખુલ્લા હતા. પ્રદિપભાઈએ તુરંત પોતાના પિતાને જાણ કરી  અને તેમા શુ મુકેલ હતું તે પુછતા  મકાન વેચાણના રોકડ રૂપિયા ૧૧ લાખ અને અમેરીકન ડોલર મળી કુલ રૂપિયા ૧૩ લાખ ૪૦ હજાર હતા, આ ઉપરાંત સોનાના દાગીના જોકે પરિવાર હાલ અમૃતસર હોવાથી આ બાબતે પ્રદિપભાઈને જાણકારી ન હોવાને પગલે પ્રાથમિક તબક્કે રૂપિયા ૧૩.૪૦ લાખના મત્તાના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસમાં નોધાઈ છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં સોમવારે બનેલા અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના મોત ત્રણને ગંભીર ઇજા

ProudOfGujarat

અંકલેશ્વર મામલતદાર કમ્પાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યામાં ઉજ્જડ થવા પામ્યો છે

ProudOfGujarat

ભુજમાં ભારે પવન ફૂંકાવાથી મકાનની દીવાલ ધરાશાયી થતાં બે બાળકોના કરુણ મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!