Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : અસામલી ગામે દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા, બે ની હાલત ગંભીર

Share

માતરના વરસેલામા વરસાદના કારણે અસામલી ગામે દીવાલ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. દીવાલ ધરાશાયી થતાં ચાર લોકો દટાયા હતા. ચારમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી છે જ્યારે બે ને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

ખેડાના માતર તાલુકાના અસામલી ગામે ભારે વરસાદમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી થવાનો બનાવ બન્યો છે. કાચી માટી વાળું મકાન હોવાથી દીવાલ ધરાશાઈ થઈ હતી. પરિવાર સુઈ રહ્યો હતો દરમિયાન ચાર લોકો પર દીવાલ ધરાશાયી થઇ હતી.  આ દિવાલના કાટમાળમા ત્રીજોરી, પલંગ સહિતના ઘરનો સર સામને નુકસાન થયું છે. દિવાલ નીચે દટાયેલા પરિવારના ચારમાંથી ત્રણ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દિવાલ ધરાશાયની જાણ થતાં માતરના સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર, ટીડીઓ પીએસઆઇ સહિતના પદાધિકારીઓ ઘટના સ્થળે પોહચી મુલાકાત લીધી હતી.

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે વીજ કંપની દ્વારા ટીસી પરના ઝંપરો પર રબરના કવર ચઢાવવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચના સેગવા ગામમાં દરિયાઇ એજ્યુકેશન શિબિર યોજાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.

ProudOfGujarat

દેશનું સૌથી વ્યસ્ત મુંબઈ એરપોર્ટ આજે 6 કલાક માટે રહેશે બંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!