Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં જય મહારાજ સોસાયટીના રહેણાંક મકાનમાં લાગી આગ.

Share

નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી નગરની પાસે એક રહેણાંક મકાનમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી.

આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલ એસટી નગરની પાસે જય મહારાજ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ સોનીના મકાનમાં સવારે મકાનના ઉપલા માળે અચાનક જ આગ લાગી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે મકાનમાલિક સહિતના સ્થાનિક લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. તાત્કાલિક ધોરણે નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. બે કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી મકાનના ઉપલા માળે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. રહેણાંક મકાનમાં કયા કારણોસર આગ લાગી હોય તે રહસ્ય અકબંધ રહ્યું છે. ઘરના ઉપરના માળમાં રાખેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાની થવા પામી નથી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરની સીતારામ સેવા સંસ્થાની દર્દીઓ માટે નિ:શુલ્ક સાધનની મદદ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલી ટેગરોસ કંપનીમાં ગત રાત્રીના સમયે પાઇપલાઇનમાં બ્લાસ્ટ થતાં ત્રણ કામદારો શરીરે ગંભીર રીતે દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં ફુરજા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની મંદિર પરિસરમાં જ સાદગી પૂર્વક રથયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!