Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ડુમરાલમાં આવેલ સોસાયટીના મકાનમાં રાત્રીના સમયે તસ્કરોનો હાથફેરો

Share

નડિયાદ ડુમરાલ આવેલ કૈવલનગર સોસાયટીમાં રહેતા ચંદ્રકાન્તભાઈ પટેલ ગઈકાલે સવારે ઉઠીને મકાનનો પાછળનો દરવાજો ખોલવા જતા તે બહારથી કપડાની ગાંઠથી બંધ કરેલ હતો. જેથી ખોલી પાછળના ભાગે જોતા મકાનની દિવાલ પર તારની જાળી કાપી બાકોરુ પાડી લોખંડની જાળી કાઢી નાંખેલી હતી. જેથી તે રૂમમાં તપાસ કરતાં તિજોરી અને લાકડાના કબાટોમાં મુકેલ માતાજીના શણગારની ચીજવસ્તુઓ ઘરના સભ્યોના દાગીના, ચાંદીનો દોઢ કિલોનો તા૨, ૨૫૦ ગ્રામના ચાંદીના વાસણો, ૬૦૦ ગ્રામના ચાંદીના છડા, પાઉન્ડના ૫૦ નંગ સિક્કા મળી કુલ રૂ.૧.૮૨ લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. તેમણે સીસીટીવીમા જોતા ત્રણ ઈસમો મોઢા પર બાંધેલી હાલતમાં ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતા દેખાયા હતા. આ મામલે તેમણે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

હાર્દિકની ઘરેથી ઉપવાસ કરવાની તૈયારીઓ, અમદાવાદમાં ધારા 144 લાગુ, 4થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે ….

ProudOfGujarat

કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનીનો સર્વે આજથી જ શરૂ કરાયો : SDRF ના ધોરણો મુજબ ખેડૂતોને ચૂકવાશે સહાય : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત… વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ માં આશરે કુલ ૯૧૮ ઘરફોડ અને ચોરીના બનાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!