Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહુધામાં બંધ હવેલીમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી.

Share

મહુધામાં આગની ઘટના બનતાં મહુધા અને નડિયાદ ફાયરબ્રિગેડના કર્મચારીઓ દોડી આવ્યા હતા. શહેરમાં સ્વામિનારાયણ મંદિર પાસેની વિસાનીમાં વૈષ્ણવ સમાજની સાત સ્વરૂપની બંધ હવેલીમાં આગ લાગી હતી. આ હવેલીના ઉપરના માળે કોઈ કારણોસર આગ લાગતાં લાકડાની પીઢો હોવાથી આગે જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્થાનિકોએ તરત જ ફાયરબ્રિગેડ જાણ કરી આ આગને મહુધા નગરપાલિકાના ફાયરફાયટર અને
નડિયાદ નગરપાલિકાના ફાયર ફાયટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર  કાબુ મેળવી દેવામાં આવ્યો હતો. આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી અને હવેલી બંધ રહેતા કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી તેવુ ફાયર વિભાગે જણાવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગુજરાતમાં યોજાશે કે નહીં ભગવાન જગન્નાથની રથયાત્રા ? રથયાત્રાને લઈ પ્રદિપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન.

ProudOfGujarat

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ, ભરૂચના કાંઠે પાણી પ્રવેશ્યા, ફુરજા ખાતે તણાઇ જતા એકનું મોત.

ProudOfGujarat

શહેરમાં ૨૪ કિ.મી.ની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાયો, નાગરિકો ઠંડીમાં ઠુંઠવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!