Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં સંતરામ રોડ પર તસ્કરો એ 4 દુકાનોના તાળા તોડી ચોરી આપ્યો અંજામ

Share

નડિયાદ શહેરના સંતરામ રોડ પર નાની શાક માર્કેટની સામે આવેલ બિલ્ડીંગમાં પહેલા માળે આવેલ  ૪ જેટલી દુકાનોના બુધવારે રાત્રે તાળા તૂટ્યા છે. તસ્કરોએ  દુકાનોમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા સહિત કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ફરાર થઇ ગયા છે. સવારે  દુકાનદારો આવતાં પોતાની દુકાનોના શટરના તાળા તૂટેલા જોતાં તેઓ ચોકી ઉઠ્યા છે અને સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસને જાણ કરવામાં આવી છે. તસ્કરોએ દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાને પણ તોડી નાખ્યાં હતાં. દુકાનોના શટરને ડ્રીલ કટર મશીનની મદદથી તોડી ચોરી કરી ફરાર થયાં છે. સીસીટીવીમા બે ચોર દુકાનમાં અંદર જઈ કરી ચોરી કરતાં નજરે પડ્યાં છે. નડિયાદ ટાઉન પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.દુકાનદારના જણાવ્યા મુજબ આ ચોરીને અંજામ આપવા તસ્કરો ઉપરથી ઘૂસ્યા અને ૧૦ થી ૧૨ ના સમયગાળામા જ આ ચોરી આચરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં આવેલ હરી અનમોલ ગૌશાળામાં ગાયના છાણ અને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી દીવડાઓ બનાવવાનો નવતર પ્રયોગ.

ProudOfGujarat

ભરૂચ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ શુટીગ વોલીબોલ ટુર્નામેન્ટ માં અંકલેશ્વર ની ટીમ વિજેતા બની.

ProudOfGujarat

ભરૂચ પંથકમાં જામ્યો શેરી ગરબાનો રંગ : માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વચ્ચે નવરાત્રીની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!