Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ : મહેમદાવાદના ખાત્રજમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો.

Share

મહેમદાવાદના ખાત્રજ ગામે સ્વામિનારાયણ મંદિર વાળા ફળિયામાં રહેતા હર્ષિલ મનુભાઈ પટેલ પોતે ખાત્રજ અમદાવાદ રોડ ઉપર હોટલ ચલાવે છે. ગત ૨૩ મી ઓક્ટોબરે હર્ષિલના પત્ની પરીવાર સાથે ઘર બંધ કરી દિવાળી મનાવવા તેમના પિયરમાં ગયા હતા. તો બીજી બાજુ તહેવારનો સમય હોવાથી અને હોટલમાં ઘરાકી હોવાના કારણે હર્ષિલભાઈ પણ પોતે પોતાના ઘેર જઈ શક્યા ન હતા. ગત ૨૮ મી ઓક્ટોબરના રોજ સાંજના તેમની પત્ની પોતાના ધરે પાછા આવતા મકાનની જાળીના મુખ્ય દરવાજોનો નકૂચો તૂટેલો હતો અને દરવાજો ખુલ્લો હતો તેમજ ઘરમાં સામાન પણ વેરવિખેર પડેલો હતો. તેણીએ પોતાના પતિને જાણ કરતા હર્ષિલભાઈ પોતાના ઘરે આવી ગયા હતા. જે બાદ ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઉપરાંત ઘરના ઉપરના માળે આવેલ તિજોરીમાંથી પણ સોના,ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨ લાખ ૭૨ હજાર ૫૦૦ ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે હર્ષિલ પટેલે આ સંદર્ભે મહેમદાવાદ પોલીસમાં જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચમાં કોરોનાનો કાળો કેર યથાવત તા. 3/7/2020 નાં રોજ કોરોના પોઝિટિવનાં વધુ 13 કેસો જણાયા.

ProudOfGujarat

કાલોલ : જીલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામીનીબેન સોલંકીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

નેત્રંગ : કેલ્વીકુવા ગામે શેરડીનો પાક સળગાવી અજાણ્યા ઇસમો ફરાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!