Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવનુ આયોજન કરાયું.

Share

નડિયાદ શહેરના સંતરામ મંદિરના પટાંગણમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આજે દુર્ગાષ્ટમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના યોજાઈ.

નડિયાદ શહેર સહિત જિલ્લામાં ૨૫૦ ઉપરાંત બંગાળી પરિવાર રહે છે અને નડિયાદ શહેરમાં ૧૫૦ ઉપરાંત પરિવાર રહે છે. શહેરના બંગાળી સમાજના શારદિયા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬ વર્ષથી નગર સંતરામ મંદિરના પટાંગણમાં પંડાલમાં આસો નવરાત્રિના છઠ્ઠના દિવસે દુર્ગાપૂજા મહોત્સવ ઊજવાય છે. છઠ્ઠા નોરતાંના દિવસે શનિવારે પંડાલમાં દુર્ગા માતાજીની સ્થાપના કરી હતી. તા.૫ એ બુધવારે અન્નકૂટોત્સવ યોજાશે. તા. ૬ એ બપોરે શોભાયાત્રા નીકળશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગોધરા શહેરના ભામૈયા ચોકડીથી પરવડી ચોકડી સુધીના રસ્તાને રૂપિયા ૧૫૦૦ લાખના ખર્ચે ફોર લેન કરાશે: જિલ્લા પ્રભારી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં જુની તરસાલી ગામે ખાણ ખનીજ વિભાગની રેઇડ, બિનઅધિકૃત રેતીનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર થયેલા હુમલાના આરોપીઓની ધરપકડ કરવા પંચમહાલ “આપ”ના કાર્યકરોએ આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!