Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા મહોત્સવનુ આયોજન કરાયું.

Share

નડિયાદ શહેરના સંતરામ મંદિરના પટાંગણમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આજે દુર્ગાષ્ટમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના યોજાઈ.

નડિયાદ શહેર સહિત જિલ્લામાં ૨૫૦ ઉપરાંત બંગાળી પરિવાર રહે છે અને નડિયાદ શહેરમાં ૧૫૦ ઉપરાંત પરિવાર રહે છે. શહેરના બંગાળી સમાજના શારદિયા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬ વર્ષથી નગર સંતરામ મંદિરના પટાંગણમાં પંડાલમાં આસો નવરાત્રિના છઠ્ઠના દિવસે દુર્ગાપૂજા મહોત્સવ ઊજવાય છે. છઠ્ઠા નોરતાંના દિવસે શનિવારે પંડાલમાં દુર્ગા માતાજીની સ્થાપના કરી હતી. તા.૫ એ બુધવારે અન્નકૂટોત્સવ યોજાશે. તા. ૬ એ બપોરે શોભાયાત્રા નીકળશે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગોધરા નગરપાલિકાનાં સફાઈકર્મીઓ પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઊતર્યા.

ProudOfGujarat

રાજપારડી નગરમાં નાનામોટા દરેક ધંધાર્થીને આરોગ્ય વિભાગ દ્વારા સ્કીનીંગ કાર્ડ અપાશે.

ProudOfGujarat

ઝઘડીયાની MTZ કંપની ખાતે તપાસ કરતાં એક આઈસર ટેમ્પોમાં એક ઈસમને ભંગાર ભરતાં રંગેહાથ ઝડપી પાડતી એલ.સી.બી.પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!