Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ઠાસરા નજીક કેનાલમાં કાર સાથે ખાબકેલા બે વ્યક્તિઓના ત્રણ દિવસે મૃતદેહ મળ્યા.

Share

ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં આવેલ બાધરપુરા પાસે ઉજ્જૈનથી દર્શન કરી પરત ફરતા રાજકોટ જિલ્લાના ગોંડલના ત્રણ લોકો કાર સાથે મહી કેનાલમાં ખાબક્યા હતાં. આ પૈકી એકનો આબાદ બચાવ થઈ ગયો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિઓ કાર સહિત કેનાલમાં ડૂબી લાપતા બન્યા હતા.
બનાવના ત્રીજા દિવસે શનિવાર સવારે અહીયા નજીકથી કારની અંતે બહાર કાઢવામાં આવી હતી. અને આ કારમાંથી બન્ને લોકોના મૃતદેહ અજયપુરી ગોસાઈ અને ભારતીબાપુનો મળી આવ્યો છે. ક્રેનની મદદથી ગાડી અને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

બનાવના પગલે નહેર પર લોકોના ટોળેટોળા વળ્યા હતા. બન્નેના મૃતદેહોને પીએમ માટે ઠાસરાની સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં લોક જનશક્તિ પાર્ટી ઝંપલાવશે : ચિરાગ પાસવાન.

ProudOfGujarat

“આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ‘ક્લાઉડ કૉલિંગ’ ફીચર પ્રસ્તુત કર્યું, મોટર ક્લેમ ઇન્ટરએક્શનમાં બદલાવ લાવશે અને સેટલમેન્ટ્સને વેગ આપશે”

ProudOfGujarat

ભરૂચ : વરેડિયા – નબીપુર રેલ્વે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા યુવાનનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!