Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનથી નડિયાદને અને મહેમદાવાદને ટ્રેનોના સ્ટોપેજનો લાભ મળ્યો.

Share

૧૭ સપ્ટેમ્બર-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની દેશભરમાં ઉજવણી થઇ, ત્યારે ખેડા જિલ્લાને સમાવતા ચરોતર વિસ્તારની જનતાને ઉપયોગી બની રહે તેવી ફૂલ ૧૧ ટ્રેનોના નડિયાદ અને મહેમદાવાદ સ્ટોપેજનો લાભ આજથી મળતો થઇ ગયો છે. ચરોતર વિસ્તારમાં વસતા કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના વતનીઓની માંગણીના પગલે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે રેલવે મંત્રાલયમાં ઉચ્ચ કક્ષાએ આ સ્ટોપેજ માટે કરેલી રજુઆતો અને પ્રયત્નોને પરિણામે ૧૧ જેટલી ટ્રેનોના સ્ટોપેજ નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશને મંજુર કરાયા હતા. તે તમામ ટ્રેનો આજથી નડિયાદ અને મહેમદાવાદ રેલવે સ્ટેશને થોભશે. આ ટ્રેનોમાં મુસાફરી કરનારા સહુ યાત્રીકોને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે શુભેચ્છા પાઠવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત : ડીંડોલીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં નર્સ સાથે ગેરવર્તન કરનાર ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

નવાગામ ખાતેની જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

ProudOfGujarat

સુરત: 72મા સ્વાતંત્ર પર્વની સુરતમાં વિશેષ ઉજવણી- યુનિવર્સિટી રોડથી Y જંકશન સુધી 1100 મીટર લાંબી ત્રિરંગા યાત્રા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!