Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : શ્રી સંતરામ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

Share

શ્રી સંતરામ વિદ્યાલયમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન તેમજ પવિત્ર પ્રેમના પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિદ્યાલયની તમામ બહેનોએ ભાઈઓને તિલક કરી રાખડી બાંધી અને મીઠાઈ સ્વરૂપે સાકર ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. ભાઇઓએ પણ બહેનોને પોતાની યથાશક્તિ પ્રમાણે ભેટ આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને તહેવારનું મહત્વ પણ સમજાવવામા આવ્યું હતું. વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓએ હર્ષ અને ઉલ્લાસ સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે શ્રી સંતરામ કેળવણી મંડળના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજે તથા મંત્રીશ્રી નિર્ગુણદાસ મહારાજે શ્રી સંતરામ દિવ્ય અખંડ જ્યોતિના આશિષ પાઠવ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભારે વરસાદને લીધે મૃત્યુ પામનાર ગાજરગોટાના મૃતકના વારસદારને સંસદસભ્ય મનસુખભાઇ વસાવાના હસ્તે મુખ્યમંત્રીશ્રીની રાહતનીધિમાં રૂા. ૪ લાખનો ચેક એનાયત

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી અંદાજિત 1 હજાર કરોડનું 513 કિલો ડ્રગ્સ જપ્ત, મુંબઈ પોલીસે કરી કાર્યવાહી.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં વિકાસના કામોનું પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે લોકાપર્ણ/ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!