Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રા યોજાઇ.

Share

સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ મહોત્સવ નિમિતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નડિયાદ શહેરમાં બુધવારે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નડિયાદના ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજ દેસાઇના વડપણ હેઠળ સવારે નગરપાલિકા ખાતેથી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ યાત્રામાં મુખ્ય દંડક પંકજ દેસાઇ, કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ તથા નગરપાલિકાના પ્રમુખ, કાઉન્સિલર, સંગઠનના પદાધિકારીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ધ્વજ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ યાત્રા નગરપાલિકાથી સ્ટેશન રોડ, સંતરામ રોડ થઇને સરદાર પટેલના સાહેબના જન્મસ્થાને પહોંચીને સૌએ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ યાત્રાને જોતાં સમગ્ર શહેર આજે રાષ્ટ્રભકિતમાં તરબતર બની ગયું હતું. આ યાત્રાએ હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર દિમાગ તિરંગાની ઉક્તિને ચરિતાર્થ કરી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને રાષ્ટ્રભાવના એ જીવનશૈલી છે તે આજે નડિયાદના નગરજનોએ સાબિત કરી દીધું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

કાલોલ તાલુકામા આવેલી કેટલીક ગ્રામપંચાયતોમા તલાટીની ગેરહાજરીની વ્યાપક બુમો.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂ. 5.98 કરોડના કામોના લોકાર્પણ તથા ઉકાઈ વિસ્થાપિત આદિવાસી બાળકોને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સુપ્રીમ કોર્ટની ફિટકાર..? કોઈ રાહત નહીં…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!