Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીઆદના શ્રી ગોકુલનાથજી મંદિરમાં શ્રી બાલકૃષ્ણ પ્રભુના ૧૫૧ મા પાટોત્સવ નિમિત્તે ૫૧ હજાર આમ્રકુંજ (કેરી) નો મનોરથ યોજાયો.

Share

નડીઆદના વલ્લભાચાર્ય ચરણ માર્ગ (સાંથ બજાર) ખાતે આવેલ (શ્રી શુધ્ધાદ્વૈત વચતસ્પિત પીઠ) શ્રી ગોકુલનાથજી મંદિર ખાતે મહાપ્રભુજી અને ગુસાંઇજીના નિધી સ્વરૂપ તથા શ્રીનાથજીના ગોદ (ગવાખા)ના સ્વરૂપ શ્રી બાલકૃષ્ણ પ્રભુ (શ્રી રૂપરાયજી)ના ૧૫૧ મા પાટોત્સવ નિમિત્તે શુધ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર પ.પૂ.ગો.૧૦૮ વ્રજરત્નલાલજી મહારાજના આશીર્વાદથી અને પૂ.પ. ગોકુલોત્સવજી મહોદયની નિશ્રામાં ૫૧ હજાર આમ્રકુંજ (કેરી)ના અલૌકિક મનોરથના દર્શનનો નગર નડીઆદની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિએ અલભ્ય લ્હાવો માણ્યો હતો. 

  શ્રી ગોકુલનાથજી મંદિરમાં યોજાયેલ ૫૧ હજાર આમ્રકુંજ (કેરી)ના મનોરથ બાદ આમ્રકુંજ (કેરી) મનોરથની પ્રસાદીનું વિતરણ શુધ્ધાદ્વૈત વાચસ્પતિ પીઠાધિશ્વર પ.પૂ.ગો.૧૦૮ વ્રજરત્નલાલજી મહારાજના આશીર્વાદથી અને પૂ.પ. ગોકુલોત્સવજી મહોદયની આજ્ઞાથી ગોકુલનાથજી મંદિરના સમર્પિત કાર્યકરો સર્વ મુકેશભાઇ શાહ, ગોપાલભાઇ શાહ, જીજ્ઞેશભાઇ શાહ, દિપકભાઇ ઘડિયાળી અને પરેશભાઇ શાહે નગર નડીઆદના સંતરામ મંદિર, માનવ સેવા, નિરાંત સેવાશ્રમ, દલાબાપા આશ્રમ અને નડીઆદના સલુણ બજાર ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેના મજૂર વર્ગમાં પ્રસાદીનું વિતરણ કર્યું હતું. 

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં સિંહણે બે સિંહ બાળને આપ્યો જન્મ…

ProudOfGujarat

લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે ઉપર ટ્રાફિક પોલીસની કાર ખાડામાં ખાબકતા ૬ પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

નવસારી-મહિલાને ડરાવી દાગીના રોકડ મળી1.62 લાખની છેતરપિંડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!