Proud of Gujarat
INDIAFeaturedGujarat

હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ કોર્ટ.

Share

ડાકોર નાની ભાગોળમાં રહેતા ભાવેશ ઉર્ફે ભાંગો અશોકભાઈ બીનબારભાઈએ ગત તા.૧૬-૭-૨૦૧૯ ના રોજ રાત્રીના સુમારે ડાકોર ગોમતીઘાટ પર સુઈ રહેલ વિનોદ જગુભાઈ વસાવાને તુ છેલ્લા ઘણા દિવસથી મારી સાથે માથાકુટ કરે છે, આજે તો તને પુરો કરી દઈશ તેમ કહી લાકડાના ડંડાથી વિનોદભાઈના માથામાં ફટકો મારી મોત નિપજાવ્યું હતું. બાદમાં ભાવેશ ડાકોર આંબાવાડી પથિકાશ્રામ પહોંચ્યો હતો જ્યાં ગોપાલ ઉર્ફે રામપ્યારી રાયમલભાઈ પટણીને આ ડંડાથી હમણાં જ ગોમતી પર વિનોદ વસાવાને મારીને આવેલ છું, મારૂ નામ લઈશ નહીં તેમ કહી વિનીયાને તો પતાવી દીધો છે હવે તને પણ પતાવી દઈશ તેમ કહી ડંડાથી માથામાં ફટકો મારી ચામડી ફાડી નાંખી, બંને હાથ પર ડંડાથી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. આ કેસ નડિયાદના એડી.સેશન્સ પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી ભાવેશને આજીવન કેદની સજા ફટકારી હતી.

ઈપીકો કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા તથા રૂ. દસ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની ન સજા, ઈપીકો કલમ ૩૨૫ ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા, પાંચ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા, ઈપીકો કલમ ૩૨૪ ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા, ત્રણ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા, ઈપીકો કલમ ૫૦૬(2)ના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા, ત્રણ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજપીપળા : શૂલપાણેશ્વર મંદિર સામે આવેલ નર્મદા ઘાટ ખાતે અમુક પ્રવૃતિઓ કરવાં પર પ્રતિબંધ.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી પોલીસે લાખોની મત્તાનો જુગારનો કેસ શોધી કાઢયો : પાંચની ધરપકડ : બે ફરાર.

ProudOfGujarat

રાજપીપળા ગ્રામીણ બેંક મૃતપાય હાલતમાં થવા પાછળ ચેરમેન,એમડી,વા.ચેરમેન જવાબદાર હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!