Proud of Gujarat
FeaturedGujaratINDIA

2030 સુધીમાં ભારતમાં ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે 543 બિલિયન ડોલર રિટેલ ઇન્વેસ્ટર્સની મૂડી એકત્ર કરી શકાશે

Share

• ઊર્જા કાર્યક્ષમતા, સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ ક્ષેત્રો સૌથી વધુ રોકાણ આકર્ષવા માટે તૈયાર

• ભારતમાં 96% રોકાણકારો ક્લાઇમેટ ઇન્વેસ્ટિંગમાં રસ ધરાવે છે, જે સર્વે કરાયેલા બજારોમાં સૌથી વધુ છે

Advertisement

• હકારાત્મક અસર અને વ્યક્તિગત મૂલ્યો એ રોકાણકારો માટે ટોચની પ્રેરણા છે

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો તાજેતરનો સસ્ટેનેબલ બેંકિંગ રિપોર્ટ 2023 જણાવે છે કે 2030 સુધીમાં રિટેલ રોકાણકારોની 543 અબજ યુએસ ડોલરની મૂડી ભારતમાં ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ તરફ એકત્ર કરી શકાય છે. સમગ્ર એશિયા, આફ્રિકા તથા મીડલ ઇસ્ટના 10 ગ્રોથ માર્કેટ્સમાં 1,800 ઉત્તરદાતાઓના સર્વેક્ષણમાંથી રોકાણકારોના રસ પર આધારિત આ સંશોધન ક્લાઇમેટ ઇન્વેસ્ટિંગ માટે 3.4 ટ્રિલિયન યુએસ ડોલરની વૈશ્વિક સંભાવનાને ઓળખે છે, જે આબોહવા પરિવર્તન સામે લડવા માટે લોકોની શક્તિ દર્શાવે છે.

ભારતમાં ક્લાઇમેટ ઇન્વેસ્ટિંગમાં 324 બિલિયન યુએસ ડોલર મિટિગેશન થીમ્સમાં આવી શકે છે અને ઊર્જા કાર્યક્ષમતા, રિન્યુએબલ્સ અને એનર્જી સ્ટોરેજ સૌથી વધુ મૂડી આકર્ષવા માટે તૈયાર છે. 219 બિલિયન યુએસ ડોલરને સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોડાયવર્સિટી અને ફૂડ સિસ્ટમ્સ સહિત અનુકૂલન તરફ એકત્ર કરી શકાય છે.

સર્વેક્ષણ દર્શાવે છે કે ભારતમાં 96% રોકાણકારો ક્લાઈમેટ ઇન્વેસ્ટિંગમાં રસ ધરાવે છે, જે સર્વે કરાયેલા તમામ બજારોમાં સૌથી વધુ છે અને તેમાંથી 84% ક્લાઇમેટ તરફ મૂડી પ્રવાહ વધારવા માંગે છે. આવા રોકાણો કરતી વખતે તેઓ મુખ્યત્વે હકારાત્મક અસર અને વ્યક્તિગત મૂલ્યો દ્વારા પ્રેરિત થાય છે. જોકે રોકાણકારોના સેગમેન્ટ પ્રમાણે બદલાતા બહુવિધ અવરોધો તેમને તેમના રસને રોકાણમાં ફેરવતા રોકી રહ્યા છે.

ઉદ્યોગને રિટેલ મૂડીની સંભાવનાને અનલોક કરવા માટે રોકાણકારોને આ અવરોધોને દૂર કરવામાં મદદ કરવાની જરૂર છે. નાણાંકીય સંસ્થાઓ, નિયમનકારો, કંપનીઓ અને લોકોએ વધુ રિટેલ ભાગીદારી ચલાવવા માટે ક્લાઇમેટ એસેટ્સની વિશાળ શ્રેણી સ્થાપિત કરવા માટે નક્કર પ્રયાસો કરવા જોઈએ.

એસેટ મેનેજરો અને બેંકોએ ઉભરતા રોકાણકારોના હિતોને જાળવવા માટે નવી ક્લાઇમેટ એસેટ્સમાં નવીનતા લાવવા માટે પણ કામ કરવું જોઈએ, જેમ કે બાયોડાયવર્સિટી અને બ્લ્યૂ ઇકોનોમી. રોકાણકારોને માહિતીથી સશક્ત કરવા, પ્રોડક્ટ કસ્ટમાઇઝેશન અને પરિણામ-આધારિત માહિતી જેવા ત્રણ સ્તંભો દ્વારા રિટેલ મૂડી એકત્ર કરવામાં નાણાંકીય સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ડિજિટલ અને ફિનટેક સોલ્યુશન્સ સક્ષમ ભૂમિકા ભજવશે અને રોકાણકારો માટે પ્રક્રિયાઓને સરળ બનાવશે.

વિશ્વભરના ઉદ્યોગને પણ રિપોર્ટિંગ ધોરણોને સંરેખિત કરવાની જરૂર છે અને રોકાણકારોનો વિશ્વાસ વધારવા માટે ન્યૂનતમ જાહેરાત આવશ્યકતાઓને ફરજિયાત કરવાની જરૂર છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના વેલ્થ મેનેજમેન્ટ, ડિપોઝિટ અને મોર્ગેજના ગ્લોબલ હેડ માર્ક વેન ડી વાલેએ જણાવ્યું હતું કે: “આબોહવા પરિવર્તન માટેના અમારા સામૂહિક પ્રતિભાવને ધિરાણ આપવું એ એક જટિલ પડકાર છે. એકંદરે આબોહવા શમન અને અનુકૂલન ટ્રિલિયન ડોલર્સના વાર્ષિક ફંડિંગના તફાવતનો સામનો કરે છે. આ ગેપને ભરવા માટે ફંડ એકત્ર કરતી વખતે ઘણીવાર સંસ્થાકીય મૂડી પર ધ્યાન કેન્દ્રિત થાય છે. રિટેલ ઇન્વેસ્ટર્સની મૂડીનું પ્રમાણ અને શક્તિ ઓછી જાણીતી તક છે. રોકાણકારોના હિત અને આબોહવા રોકાણના સ્કેલ વચ્ચેના વર્તમાન જોડાણને દૂર કરવા માટે, ઉદ્યોગને ઉકેલોની એક્સેસમાં સુધારો કરવાની, રિપોર્ટિંગના ધોરણોને સુમેળ સાધવાની અને અસરના માપનની જરૂર છે. અમે અમારા ગ્રાહકો સાથે તેમના રોકાણને તેમના રસના ક્ષેત્રો સાથે મેચ કરવા માટે નજીકથી કામ કરવાનું ચાલુ રાખીએ છીએ, જેથી તેઓ વધુ ટકાઉ ભવિષ્ય માટે ફાઇનાન્સ સોલ્યુશન્સમાં મદદ કરી શકે.”

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના વેલ્થ મેનેજમેન્ટના ઈન્ડિયા હેડ સૌરભ જૈને જણાવ્યું હતું કે, “આબોહવા પરિવર્તન એ ભારત માટે એક મુખ્ય પડકાર છે, વારંવાર ભારે હવામાનની ઘટનાઓ, વધતી જતી વસ્તી અને વધતી જતી શહેરીકરણ આબોહવા-સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ઝડપથી ધ્યાન કેન્દ્રિત કરવા અને અને દેશના નેટ ઝીરો ટાર્ગેટ્સ હાંસલ કરવા માટે માર્ગ પર રહેવાની જરૂરિયાતને વ્યક્ત કરે છે. અમારો અહેવાલ દર્શાવે છે કે ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટને ફાઇનાન્સ કરવા માટે રિટેલ રોકાણકારો પાસેથી અડધા ટ્રિલિયન ડોલરથી વધુ ઉપલબ્ધ થઈ શકે છે. વેલ્થ મેનેજરો આ રોકાણોને પ્રભાવી નાણાંકીય ઉકેલોમાં ફેરવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ભારતમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ખાતે અમે નવીન પ્રોડક્ટ્સ દ્વારા ક્લાઇમેટ એક્શન માટે મૂડી એકત્ર કરવા માટે અમારા ગ્રાહકો અને એસેટ મેનેજર સાથે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ.”

સૂચિત્રા આયરે


Share

Related posts

ગાંધીનગર-કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા – મુખ્યમંત્રી ને આવેદન આપી રજુઆત કરાઈ..

ProudOfGujarat

સરદાર પટેલની પ્રતિમા જોઇને યોગીજીએ યુ.પી.માં રામચંદ્વની પ્રતિમા બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી

ProudOfGujarat

શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો બીજા તબક્કાના આંદોલનના માર્ગે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!