Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ વિશ્રામ ગૃહમા સ્વ.માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરીની શ્રદ્ધાંજલિ સભા યોજાશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી વિશ્રામ ગૃહ ખાતે તારીખ 2 ફેબ્રુઆરીના રોજ બપોરે 1:00 કલાકે માંગરોળના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ રમણભાઈ ચૌધરીની શ્રદ્ધાંજલિ સભા યોજાશે. તાજેતરમાં માંગરોળના માજી ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરીનું અવસાન થયું હતું જેથી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્રણી નેતાના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રદ્ધાંજલિ સભામાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ તેમજ માંડવીના માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સહિતના જિલ્લાના નેતાઓ હાજર રહી શ્રદ્ધાંજલિ આપશે સાથે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ કાર્યકરો આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે કુસુમ બેન કડકીયા કોલેજ ના વિધાર્થીઓ દ્વારા કેરલ પુરગ્રસ્તો ની મદદ માટે આગળ આવ્યા

ProudOfGujarat

માંગરોળ તાલુકાની વિભાજિત થયેલી 10 ગ્રામ પંચાયતમાં વહીવટદારોની નિમણૂક કરાઈ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલનાં બજાર રક્ષાબંધનને ધ્યાનમાં રાખી આજથી ચાર દિવસ સુધી આખો દિવસ ખુલ્લા રહશે ત્યારબાદ તા. 5/8/20 થી 11/8/20 સુધી સંપૂર્ણ બજારો લોકડાઉન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!