Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં વ્યાપક વરસાદથી કૃષિપાકને થયેલ નુકસાનનું ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ.

Share

માંગરોળ તાલુકામાં વ્યાપક વરસાદથી કૃષિ પાકને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.

ચાલુ વર્ષે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના કૃષિ પાક તદ્દન નિષ્ફળ ગયા છે આ બાબતે કોંગ્રેસના આગેવાનો દ્વારા ગુજરાતના રાજ્યપાલને સંબોધીને લખેલું એક આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરી જણાવ્યું કે ખેતી ઉપર નભતા મહત્તમ નાના-મોટા ખેડૂતોએ ખેતીમાં વિવિધ પાકોનું વાવેતર કરેલ હતુ તમામ વાવેતર વધુ વરસાદને કારણે નિષ્ફળ ગયું છે તેમજ અતિ ભારે વરસાદથી તમામ કૃષિપાક નિષ્ફળ ગયો છે. ખાદ્ય પાકો અને શાકભાજી પાકોમાં પારાવાર નુકસાન થતાં મરણતોલ આર્થિક નુકસાનનો મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. આ સંજોગોમાં ખેડૂત વર્ગને સહારો મળે તે જરૂરી છે ખાસ માંગરોળ તાલુકાના આદિવાસી વિસ્તારના ખેડૂતો ની હાલત દયનીય બની છે ત્યારે અસરગ્રસ્ત તમામ ખેડૂતોના કૃષિપાકના નુકસાનનો સર્વે તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને નુકસાની અનુસાર વિસ્તારના તમામ ખેડૂતોને યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના આગેવાનોએ કરી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે ભરૂચ સ્ટેશન પર વિવિધ વિભાગો દ્વારા મુકવામાં આવેલ પ્રદર્શનને નિહાળ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે મારી માટી મારો દેશ અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં પ્રથમ રૂ.2 કરોડના ખર્ચે અતિ અદ્યતન આધુનિક ડિજિટલ લાઇબ્રેરી બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!