Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ અને ઉમરપાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 150 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી ઉમરપાડા તાલુકાના પાંચ ગામોમાં જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું. સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર એમ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ માંગરોળના માર્ગ અને મકાન વિભાગ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર અમિષભાઈ પટેલ તેમજ સ્ટાફના સભ્યો ઈજારદારોના સહયોગથી ચોખા, ઘઉંનો લોટ, મગની દાળ, શાકભાજી, તેલ, મસાલાની કુલ 50 કિટો તૈયાર કરી ઉમરપાડા તાલુકાનાં ઝરપણ, કાલીજામણ, ઉચવાણ, વેલાવી, આંબા, કેવડી બીજલવાળી ગામનાં જરૂરિયાત મંદ લોકોને માંગરોળ તાલુકાના નાયબ કાર્યપાલક ઇજનેર અમિષભાઈ પટેલના હસ્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માંગરોળ માર્ગ, મકાન વિભાગ દ્વારા સો જેટલી કીટો બનાવી આંબાવાડી, ઝીનોરા અને કંસાલી ગામનાં જરૂરિયાત મંદ લોકોને અર્પણ કરવામાં આવી.

Advertisement

Share

Related posts

રેલવે હવે બે નંબરી તત્વો માટે આશીર્વાદરૂપ : નામચીન બુટલેગર જીતુ ખત્રી હજારોનો મુદ્દામાલ સાથે ઝડપાયો.

ProudOfGujarat

રાજકોટના ભુવાણા નજીક વહેલી ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવક-યુવતીનું મોત

ProudOfGujarat

અંકલેશ્વરની ભડકોદ્રા ગ્રામપંચાયતની હદમાં ચાલતી આંગણવાડી નજીક કેમિકલ યુક્ત કચરાના કારણે  બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!