Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં તા.1 સુધી 3000 થી વધુ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવાયા.

Share

ભારતમા ઘણા વર્ષોથી પોલિયો નાબુદી કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ તા.27 ફેબ્રુઆરીથી પોલિયો કાર્યક્રમ શરૂ કરેલ હતો. જે અંતર્ગત માંડવી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તડકેશ્વર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખભાઈ ચૌધરીની સૂચનાથી ડો.પિયુષ શાહ અને ડૉ.નરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો.ભાવિક કણસાગરા અને તેમની ટીમો દ્વારા પોલિયોની કામગીરી કરવામાં આવી હતી. જેમા 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધીમા 3000 થી વધુ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામા આવ્યા હતા.

જેમાં તમામ ગામમા બુથ અને હાઉસ ટુ હાઉસ કામગીરી કરવામાં આવી હતી. ગામ સિવાયના શેરડી કટર, ઇટના ભઠ્ઠા, કોલા, બાંધકામ સાઈટ તમામ જગ્યાઓ પર જઈને તમામ બાળકોને આવરી લેવાયા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર હાઇવે પર રિક્ષામાં મુસાફરોને લૂંટનાર ટોળકીનો વધુ એક આરોપી ઝડપાયો…

ProudOfGujarat

અમદાવાદ-શ્રાવણ માસ નિમિતે અમદાવાદ શહેરમાં એ એમ સી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના દરિયાપુર ચકલા વિસ્તારમાં કરાયું ચેકીંગ…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં સામાજીક સંસ્થાઓ દ્વારા મફત માસ્ક વિતરણ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!