Proud of Gujarat
GujaratFeaturedINDIA

સરકારી વિજ્ઞાન કોલેજમાં વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ જલપ્લાવિત દિવસની કરાઇ ઉજવણી.

Share

માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા બીજી ફેબ્રુઆરીના દિવસે વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને માયા તળાવની મુલાકત માટે લઇ જવામાં આવ્યા હતા તથા પક્ષીદર્શન કરાવવામાં આવ્યું હતું. માયા તળાવ ખાતે ડૉ. રાજેશ સેનમા દ્વારા વેટલેન્ડ બર્ડ્સ વિશે માહિતી આપવામાં આવી હતી તથા પક્ષીદર્શન અને પક્ષી ઓળખ કઇ રીતે કરવી તે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા જલપ્લાવિત વિસ્તારોનું મહત્વ જણાવ્યું હતું તથા વિશ્વ જલપ્લાવિત દિવસની ઊજવણી માટે અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જૈવવિવિધતાનું સંરક્ષણ કરવું હોય તો આદીવાસી સંસ્કૃતિનું જતન કરવું ખૂબ જ આવશ્યક છે એમ જણાવવામાં આવ્યું હતું.

Advertisement

ડૉ. અરૂણ ધોળકીયા દ્વારા વિદ્યાર્થીઓને પક્ષીઓ, વન અને વન્યજીવોના સંરક્ષણ માટે આહવાન કરવામાં હતું તથા જલપ્લાવિત વિસ્તારનું મહત્વ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત વિશ્વ, ભારત અને ગુજરાતની રામસર સાઇટ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ડૉ. રાજેશ સેનમા દ્વારા જલપ્લાવિત વિસ્તારો અને નિવસનતંત્રમાં તેમના મહત્વ વિષે જણાવવામાં આવ્યું હતું. આ પ્રકારના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓ તથા જાહેર જનતામાં જાગૃતતા આવે છે એમ જણાવવામાં આવ્યું હતું.  

કોલેજના અધ્યાપક ડૉ. નિશાંત જુન્નર્કર, ડૉ. અનિલ સિંઘ, તમન્ના ચૌધરી, પિનલ ઠાકોર તથા વિદ્યાર્થીઓ દ્વારા માયા તળાવની મુલાકાત લેવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પ્રાણીશાસ્ત્ર વિભાગના વિભાગીય અધ્યક્ષ ડૉ. રાજેશ સેનમા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. 

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ઉમલ્લા તથા રાજપારડી ચારરસ્તા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ પર ઉડતા ડસ્ટથી સ્થાનિકો પરેશાન…

ProudOfGujarat

વડાપ્રધાન મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્રુઝ બોટનું લોકાર્પણ કરાવવા તાડામાર તૈયારી, ક્રુઝ પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનશે.

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરીમાંથી પનીર અને અમુલ ગોલ્ડ દૂધ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, 5 સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!